કોંગ્રેસના નવનિર્વાચિત લોકસભા સાંસદોની પ્રથમ બેઠક આજરોજ મળશે. આ બેઠકમાં કોંગ્રેસ સંસદીય દળ(સીપીપી)ના નેતાના નામ પર મહોર લગાવાની સંભાવના છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ સીપીપી અધ્યક્ષતા સોનિયા ગાંધી કરશે અને પાર્ટીના બધા 52 લોકસભા સાંસદ બેઠકમાં ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં કોંગ્રેસના રાજ્યસભાના સભ્યો પણ ઉપસ્થિત રહેશે.
સૂત્રોને મળતાં એક અહેવાલ મુજબ 17મી લોકસભાના ગઠન બાદ મળનારી પ્રથમ બેઠકમાં કોંગ્રેસ સાંસદ નીચલા ગૃહમાં પોતાના નેતાની ચૂંટણી પણ કરી શકે છે. ગત 25 મેના રોજ યોજાયેલી કોંગ્રેસ કાર્યકારીની બેઠક બાદ આ પ્રથમ સત્તાવાર બેઠક હશે જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે કાર્યકારિણી બેઠકમાં રાહુલ ગાંધીએ રાજીનામુ આપવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જો કે કાર્યકારિણી બેઠકે રાજીનામાને નામંજૂર કરી દીધુ હતું.
આજે કોંગ્રેસની સસંદીય દળની બેઠક સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મળશે. કોંગ્રેસના ચૂંટાયેલા 52 લોકસભા સાંસદોની આ પહેલી બેઠક મળશે. આ ઉપરાંત રાજ્યસભાના સાંસદો પણ હાજર રહેશે. સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસની આ બેઠક યોજાશે જેમાં કોંગ્રેસ સંસદીય દળના નેતાની પસંદગી પર મહોર લગાવી શકે છે.
આ બેઠકમાં સંસદના આગામી સત્રની રણનીતિ નક્કી કરાશે. ઉલ્લેખનીય છે કે 25મે પછી પહેલી ઔપચારિક બેઠક હશે જેમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેવાના છે. ઉલ્લેખનીય છે કે લોકસભામાં મળેલા કારમા પરાજય બાદ કોંગ્રેસ મોટા પાયે ફેરફાર કરવાની તૈયારીમાં છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામું આપવાની રજૂઆત કરી હતી જેને નામંજૂર કરવામાં આવી હતી.
આ સાથે ઘણાબધા પ્રદેશ અધ્યક્ષોએ રાજીનામા આપ્યા પરંતુ તેને લઇને પણ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. પક્ષના મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ સંકેત આપ્યો છે કે પાર્ટીમાં મોટાપાયે બદલાવ કરવામાં આવે તેવી સંભાવના છે.