પરેશ ધાનાણી એ કમલમ ને કોરોનાનું કેન્દ્રબિંદુ ગણાવ્યું છે. સીઆર પાટીલ સહિતના બીજેપી નેતાઓને કોરોના પોઝિટિવ આવતા ટ્વીટ કરીને કટાક્ષ કર્યો હતો કે, `ભાજપના 'ભાઉં'એ ભક્તોને પણ ભરડામાં લીધા'
પરેશ ધાનાણી એ કમલમ ને કોરોનાનું કેન્દ્રબિંદુ ગણાવ્યું છે. સીઆર પાટીલ સહિતના બીજેપી નેતાઓને કોરોના પોઝિટિવ આવતા ટ્વીટ કરીને કટાક્ષ કર્યો હતો કે, `ભાજપના 'ભાઉં'એ ભક્તોને પણ ભરડામાં લીધા'
પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, હવે "કમળ છાપ" કાર્યકર્તાઓથી સૌને દૂર જ રહેવા વિનંતી. ભાજપના કાર્યકારોથી દૂર રહો, નહિ તો કોરોના કરડી જશે એ સાથે જ ધાનાણીએ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભેચ્છા પણ પાઠવી હતી.
""કોરોનાનું કેન્દ્રબિંદુ : કમલમ""
હાલ ભાજપના 'ભાઉં'એ ભક્તોને
પણ ભરડામાં લીધા છે ત્યારે,
હવે "કમળ છાપ" કાર્યકર્તાઓથી
તો સૌને દૂર જ રહેવા વિનંતી,
નહીંતર પછી 'કોરોના' કરડી જાશે
અને ભારે મોટી 'કઠણાઈ' થાશે..!
ગઈકાલે C R પાટીલ અને ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા પણ પોઝિટિવ આવ્યા હતા અત્યાર સુધીમાં કમલમમાં 10 જેટલા કર્મચારીઓ કોરોનાગ્ર્સત નોંધાઈ ચુક્યા છે. વળી C R Patilની રેલીઓમાં ઉમટેલી ભીડ જોઈને વારંવાર સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોનાની માહામારી તેમજ ગાઈડલાઈનની યાદ અપાવવા છતાં પાટીલની રેલીઓ અટકવાનું નામ નહોતી લેતી ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી પાટીલને આડે હાથ લીધા હતા.