દેશભરમા કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. જેને લઈને સમગ્ર દેશમાં 21 દિવસ સુધી લોકડાઉન કરવામા આવ્યું છે. ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ધાનાણીએ એક અપીલ પણ કરી કે કોરોના વાયરસ સામે લડવા આપણે સૌ એક બનીએ.
લૉકડાઉન પગલે વિપક્ષ નેતા આવ્યા આગળ
પરેશ ધાનાણીએ રાહત રસોડું ચાલુ કર્યુ
કોરોના વાયરસ સામે લડવા એક બનીએ: ધાનાણી
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાહત રસોડું ચાલુ કર્યું છે. અમરેલી, કુંકાવાવ અને વડિયામાં આ રાહત રસોડુ ચાલુ કરવામાં આવ્યું છે. અમરેલીના સ્લમ વિસ્તારમાં તૈયાર ભોજન પહોંચાડાયું છે. આ દરમિયાન તેઓ જાતે ભોજન બનાવતા અને લઇ જતા જોવા મળ્યા હતા. આ અંગે ધાનાણીએ કહ્યું કે, જરૂરિયાતમંદ લોકો ભુખ્યા ન સુવે તે બધા ધ્યાન રાખે. કોરોના વાયરસ સામે લડવા સૌ એક બનીએ.
પરેશ ધાનાણીએ કહ્યું કે કોરોનાના કારણે જનતા કર્ફ્યૂ દરમિયાન પાડોશી ધર્મ નિભાવી અને પાડોશમાં કોઈને ભુખ્યા ન સુવું પડે તેની સૌએ સ્વેચ્છીક તકેદારી રાખવી. સાથે સરકાર પાસે ગરીબો પરિવારોને રાહત દરે ભોજન પુરી પાડતી સંસ્થાઓને પ્રોત્સાહક ગ્રાન્ટ ફાળવવાની વિનંતી કરી છે.
પરેશ ધાનાણીએ સરકાર પાસે માંગણી કરી હતી કે કોરોનાની મહામારીથી જનજીવનને બચાવવા સમગ્ર રાજ્યના દરેક તાલુકામાં આરોગ્યનું નિદાન, ચકાસણી અને સારવાર કરાવવાની વ્યવસ્થા કરવામાં આવે.
""પાડોશી ધર્મ નિભાવીએ""
કોરોનાના કારણે જનતા કર્ફ્યું દરમિયાન પડોશમાં
કોઈએ "ભૂખ્યા ના સુવું પડે" તેની સૌએ સ્વૈચ્છિક
તકેદારી રાખવા તેમજ.,
ગરીબ પરિવારોને વિનામૂલ્યે ભોજન ઉપલબ્ધ કરાવતી
સામાજિક-ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓને પ્રોત્સાહક
ગ્રાન્ટ ફાળવવા સરકારને વિનંતી કરું છું..! pic.twitter.com/X4A2aAxZ8b