ભાજપના નેતા મિનાક્ષી લેખીનો વિરોધ કરતા કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહે કહ્યું, મીનાક્ષી લેખીને લીમડા અને પીપળામાં તફાવત પણ ખબર નહીં હોય તેમને ખેડૂત સાથે શું લેવા-દેવા હોય
કેન્દ્રમાં રાજ્ય મંત્રી મિનાક્ષી લેખીના નિવેદન બાદ કોંગ્રેસનો વિરોધ
કોંગ્રેસ નેતા જયરાજસિંહે કહ્યું, લીમડા-પીપળાનો તફાવત ખબર નથી
જયરાજસિંહે કહ્યું કે, આ લોકોને ખેડૂતો સાથે કોઈ સંબંધ નથી. સરકારની ગુડબુકમાં રહેવા ભાજપના નેતાઓ ખેડૂતો વિશે આવા નિવેદન આપે છે. ભાજપના નેતાઓ કોઈ ખેડૂતોને આતંકવાદી, નક્સલવાદી કહે છે. મવાલી શબ્દ વિશે કહ્યું કે, ગુજરાત અને દેશની જનતા જાણે છે કે, સાચા અર્થમાં મવાલી કોણ છે. તે લોકો જાણે છે. ખેડૂતોને ગાળો આપવાનું ભાજપે બંધ કરવું જોઈએ. સાથે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહે કટાક્ષ કર્યો કે, મિનાક્ષી લેખીને લીમડા અને પીપડાના તફાવત વિશે ખબર નથી. સાથે આવા નેતાઓને મંત્રીપદ પરથી દૂર કરવા જોઈએ. તેવી માગણી પણ કરી હતી.
ખેડૂતો નથી મવાલી છેઃ કેન્દ્રીય મંત્રી મિનાક્ષી લેખી
ખેડૂતોના વિરોધ પ્રદર્શન વચ્ચે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ફરી વાતચીત કરીને સમાધાન કરવાની તૈયારી દર્શાવી હતી, તેમણે કહ્યું કે સરકાર ખેડૂતો સાથે વાત કરવા માટે તૈયાર છે. બીજી બાજુ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ ખેડૂતો પર ટિપ્પણી કરતાં કહ્યું છે કે જે આંદોલન કરી રહ્યા છે તે ખેડૂતો નથી, મવાલી છે. તેમના તરફથી કહેવામાં આવ્યું કે ખેડૂતો માત્ર દલાલોની મદદ કરી રહ્યા છે.
ખેડૂતો પર કરી વિવાદીત ટીપ્પણી
ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા આંદોલનકારી ખેડૂતોને લઈ વિવાદીત નિવેદન મીનાક્ષી લેખી દ્વારા આપવામાં આવ્યું છે. વિદેશ રાજ્ય મંત્રી મિનાક્ષી લેખીએ ખેડૂતો પર કરી વિવાદીત ટીપ્પણી કરીને ફરી આ વિવાદને વધુ ઉગ્ર બનાવી દીધો છે.
આંદોલન કરી રહેલા ખેડૂતો મવાલી છે
મિનાક્ષી લેખીએ કહ્યું કે "જે વિરોધ પર બેઠા છે તેઓ ખરેખર ખેડૂતો નથી, આંદોલન કરી રહેલા ખેડૂતો મવાલી છે." વધુમાં તેમણે કહ્યું રાજનીતિક એજન્ડાથી ચલાવવામાં આવી રહ્યું છે ખેડૂત આંદોલન, પ્રદર્શનની આડમાં કેટલાક દલાલોની મદદ કરવામાં આવી રહી છે" વિદેશ રાજ્યમંત્રી મિનાક્ષી લેખીના નિવેદનનો ચારે બાજુ વિરોધ થઈ રહ્યો છે બીજી તરફ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર કહી રહ્યા છે કે અમે ખેડૂતો સાથે વાતચીત માટે તૈયાર છીએ.