આ અગાઉ દિલ્હીમાં કેટલાય મુદ્દા પર થઈ હાઈ લેવલની ચર્ચા
એક અલગ ચૂંટણી વિંગ પર પણ કરી શકે છે વિચાર
રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસ વિચાર-મંથન સત્રમાં શરત સાથે એક પરિવાર-એક ટિકિટ નિયમ ફરીથી ચર્ચાનો વિષય બની શકે છે. હકીકતમાં પાર્ટીએ પોતાની રાજકીય નસીબને પુનર્જિવીત કરવા માટે રણનીતિ બનાવવાના ઉદ્દેશ્યથી અઠવાડીયાના અંતે બેઠક કરવાના છે. પાર્ટીના એક નેતાએ કહ્યું છે કે, શુક્રવારે શરૂ થનારી ત્રણ દિવસીય ચિંતન શિબિર પહેલા સોમવારે દિલ્હીમાં સોનિયા ગાંધીના નેતૃત્વમાં થયેલી કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં જે પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી, તેમાં એક આ વિવાદાસ્પદ નિયમ પણ છે.
ચિંતન શિબિરમાં મોટા પાયે થશે ચર્ચાઓ
જો ચિંતન શિબિરમાં અને રવિવાર CWCની અન્ય એક બેઠકમાં આ નિયમને મંજૂરી મળી જાય, જો કે, ગાંધી પરિવાર પર તે લાગૂ થઈ શકશે નહીં.તો તેમણે કહ્યું કે, તે સંભવિત રીતે આ ભાજપના અટેકને રોકવા માટે આશા પર પાણી ફેરવી દેશે. જે કોંગ્રેસ એવી કહીને ભડકાવે છે કે તેમના માટે પરિવાર પહેલા છે. એક નેતાએ કહ્યું કે, પાર્ટી સામૂહિક રીતે નિર્ણય લેવા માટે સંસદીય બોર્ડની પુનરુદ્ધારની શરૂઆત પણ કરી શકે છે. તેની સાથે 2024ની ચૂંટણીમાં ભાજપ અને ધૃણાની રાજનીતિની સરખામણી કરવા માટે તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે ગઠબંધન કરવાનું આહ્વાન કર્યું છે.
એક અલગ ચૂંટણી વિંગ પર પણ કરી શકે છે વિચાર
તેમણે કહ્યું કે, કોંગ્રેસ બેરોજગારી અને વધતી મોંઘવારી પર ધ્યાન કેન્દ્રીત કરવાનો પ્રયાસ કરશે અને વિભાજનકારી તથા સાંપ્રદાયિક અભિયાનોને હાવી થવા દેશે નહીં, જેમ કે પહેલાની ચૂંટણીઓમાં જોવા મળ્યું હતું. પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓ માટે એક પ્રશિક્ષણ સંસ્થાની સાથા સાથે એક મહાસચિવની અધ્યક્ષતામાં ચૂંટણી અભિયાનના મેનેજમેન્ટ અને સમન્વય માટે એક અલગ ચૂંટણી વિંગ પર પણ વિચાર કરવામાં આવશે. બેઠકમાં 50 વર્ષથી ઓછી ઉંમરના યુવા નેતાઓને સામેલ કરવા પરપ વિચાર વિમર્શ થશે. જેમાં ઓછામાં ઓછા અડધા આંતરિક પદ તેમના અનામત રહેશે. પાર્ટી નેતાઓના જણાવ્યા અનુસાર, આ પ્રસ્તાવને વિચાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે અને ઉદયપુરમાં વિચાર મંથન સત્રમાં તેના પર આગળની ચર્ચા થશે.
આ ઉપરાંત એક વ્યક્તિ, એક પદની ફોર્મ્યુલા અપનાવવાની ભલામણ
આ ઉપરાંત કોંગ્રેૉસ ચિંતન શિબિર પહેલા પાર્ટીના સંગઠનાત્મક મામલા સંબંધિત કાર્ય ગ્રુપને ભલામણ કરવામા આવી છે કે, વધું વધુ પાંચ વર્ષના કાર્યકાળ બાદ અખિલ ભારતીય અને રાજ્ય કમિટિના પદાધિકારીઓના આરામ આપવો જોઈએ. મુકુલ વાસનિકની અધ્યક્ષતાવાળી કાર્યકારી ગ્રુપની એક વ્યક્તિ, એક પદની ફોર્મ્યુલા અપનાવવા સહિત સંગઠનમાં ફેરફાર માટે કેટલીય ભલામણ કરી છે. સોમવારે CWCની મળેલી બેઠકમાં તેના પર ચર્ચા કરવામા આવી હતી, આ ભલામણો પર પાર્ટીના નેતાઓ 13થી 15 મે સુધી રાજસ્થાનના ઉદયપુરમાં થનારી ચિંતન શિબિરમાં વિચાર કરશે અને અંતિમ નિર્ણય લેશે.