મહેસાણાઃ રાજ્યમાં સરકાર બનાવવામાં નિષ્ફળ કોંગ્રેસ બુધવારથી ત્રણ દિવસ માટે મહેસાણા હાઇવે સ્થિત સેફ્રોની રિસોર્ટમાં યોજાનાર ચિંતન શિબિરમાં મનોમંથન કરશે. આ શિબિરનું નેતૃત્વ અશોક ગેહલોત દ્વારા કરવામાં આવશે.
પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પ્રભારી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં 20 થી 21 અને 22 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી ચિંતન શિબિરનો બુધવારે બપોરે 11 વાગ્યાથી આરંભ થયો છે. પ્રથમ દિવસે 11 વાગે મહેસાણા જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા. પ્રથમ દિવસે 17 જિલ્લાના પરિણામો અંગે પ્રભારી અને પ્રમુખ સાથે કરવામાં આવશે. જ્યારે શિબિરના અંતિમ દિવસે 22મીએ કોંગ્રેસના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી હાજરી આપશે. તેમના અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધ પ્રથમ વખત ગુજરાતની મુલાકાત લેશે. તો બીજી તરફ રાહુલ ગાંધીની સુરક્ષાને લઇ પોલીસની દોડધામ વધી છે.
જયાં અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું હતું કે મહેનતમાં કદાચ કમી રહી હશે. હારની જવાબદારી મારી છે. કોઇ અન્ય પર દોષ ઠાલવાની જરૂર નથી.
બીજી તરફ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે વર્ષ 1990 પછી ભાજપ બે ડિજીટમાં આવી છે. 1990 બાદ કોંગ્રેસની બેઠકોમાં વધારો થયો છે. આ અમારી જીત સમાન સ્થિતિ છે.
પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ હાજર રહ્યા હતા. પ્રભારી અશોક ગેહલોતે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે લોકોએ કોંગ્રેસને સમર્થન આપ્યું છે. 22 તારીખે રાહુલ ગાંધી અમદાવાદ આવશે. રાહુલ ગાંધી જીલ્લાઓના આગેવાનોને મળશે. સાથે તેઓ અમદાવાદમાં કાર્યકર્તાઓને સંબોધન કરશે. ભાજપ પર પ્રહાર કરતા ભરતસિંહે કહ્યું કે ભાજપની ઊલટી ગણતરી શરૂ થઇ ગઇ છે. તેમજ શહેરના લોકોને વિવિધ મુદ્દે ડરાવવામાં આવ્યા હતાં.
સરકાર બનાવવામાં નિષ્ફળ કોંગ્રેસનું મંથન
સમીક્ષા બેઠકમાં ભાગ લેવા પહોંચેલ શક્તિસિહ ગોહિલનુ નિવેદન
1990 પછી ભાજપ બે ડિજીટમાં આવી છે: શક્તિસિંહ
1990 બાદ કોગ્રેસ બેઠકમાં વધારો થયો છે: શક્તિસિંહ
આ અમારી જીત સમાન જ સ્થિતિ છે: શક્તિસિંહ
સમીક્ષા બેઠકમાં ભાગ લેવા પહોંચેલ અર્જૂન મોઢાવાડીયાનું નિવેદન
મહેનતમાં કદાચ કમી રહી છે: અર્જૂન મોઢાવાડીયા
હારની જવાબદારી મારી છે: અર્જૂન મોઢાવાડીયા
કોઇ અન્ય પર દોષ ઢાલવાની જરૂર નથી: અર્જૂન મોઢાવાડીયા