રાજ્યસભાની ગુજરાતની 4 બેઠક માટે ઉમેદવારીપત્ર ભરવાનો સોમવારે એટલે કે આજે છેલ્લો દિવસ છે. ભાજપે બે ઉમેદવારો પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાની આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ઉમેદવારી પત્ર ભર્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે રવિવારે મોડી રાત્રે પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણ રાઠવા અને પ્રદેશ પ્રવક્તા અમી યાજ્ઞિકના નામ જાહેર કર્યા હતા જોકે કોંગ્રેસમાં પ્રવક્તા અમી યાજ્ઞિકની પસંદગી થતાં અંસતોષ ફેલાયો હતો. મહિલા કોંગ્રેસના પ્રમુખે અમી યાજ્ઞિકની પસંદગી થતા નારાજગી વ્યકત કરી હતી.