મહારાષ્ટ્રમાં કોંગ્રેસની આજ સુધીની આટલી ખરાબ હાર ક્યારેય નથી થઇ. 2014માં કોંગ્રેસ માત્ર બે લોકસભા સીટો જીતી હતી પરંતુ આ વખતે તેને માત્ર એક જ સીટ મળી છે. કોંગ્રેસને જો એક સીટ મળી છે ત્યારે ઉમેદવાર પણ શિવસેનાનાં ધારાસભ્ય સુરેશ ધનોરકર હતાં કે જે ઉમેદવારી દાખલ કર્યાના દિવસે જ કોંગ્રેસમાં શામેલ થયા હતાં. ધનોરકરે ચંદ્રપુર લોકસભા સીટથી બીજેપી ઉમેદવાર હંસરાજ અહીરને હરાવેલ છે. 2014માં કોંગ્રેસે નાંદેડ અને હિંગોલી સીટો જીતી હતી.
રાજનીતિક વિશ્લેષકોનું માનીએ તો તેઓ હાર માટે કોંગ્રેસનાં નેતૃત્વને જવાબદાર માને છે. કોંગ્રેસ માટે શરમજનક વાત છે કે મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ પ્રમુખ અશોક ચવ્હાણ પણ નાંદેડ સીટથી ચૂંટણી હારી ગયા. રાજ્ય હોય કે મુંબઇ કોંગ્રેસ બંને જગ્યાઓ પર જમીનનાં સ્તર પર મતદાતાઓ અને પાર્ટીનાં કાર્યકર્તાઓને જોડવામાં અસફળ રહી. એટલે સુધી કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ મહારાષ્ટ્રમાં એક પણ રેલી નથી કરી. એટલે સુધી કે તેઓએ પોતાની સહયોગી પાર્ટી એનસીપીનાં નેતા શરદ પવારની સાથે પણ મંચ શેર નહીં કર્યો.
અંદરૂની કહલ અને ગુટબાજીથી થયેલ નુકસાનઃ
જ્યારથી ચવ્હાણને કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષનાં રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યાં ત્યારથી કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓનો એક વર્ગ તેઓને હટાવવાની માંગ કરી રહેલ છે. આ માંગને લઇને તેઓ રાહુલ ગાંધીને પણ મળ્યાં. મુંબઇમાં એક અજીબ જ સ્થિતિ પેદા થઇ ગઇ. પૂર્વ મંત્રી કૃપાશંકર સિંહનાં નેતૃત્વમાં એક સમૂહનાં શહેરનાં પ્રમુખ સંજય નિરૂપમને હટાવવાની માંગ કરવામાં આવી હતી. નિરૂપમને ચૂંટણીની પૂર્વ સંધ્યા પર હટાવીને મિલિંદ દેવડાને તેમની જગ્યા આપી દેવામાં આવી.