કોંગ્રેસમાં જોવા મળી રહેલા આંતરિક કલેશ પર દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ મોટુ નિવેદન આપ્યું છે. પૂર્વ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે કોંગ્રેસને આગળ વધવા માટે આત્મચિંતન કરવાની જરૂર છે. હાલ કોંગ્રેસની જે સ્થિતિ છે તે સમજવાની જરૂર છે, જેથી પાર્ટીને આગળ વધારી શકાય.
ગ્વાલિયર ચંબલ વિભાગના પ્રવાસે પહોંચેલા સિંધિયાને જ્યારે કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદના નિવેદન પર સવાલ કરવામાં આવ્યો તો, એમણે જવાબ આપવાથી ઇનકાર કરી દીધો. એમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, હું કોઇના નિવેદન પર પ્રતિક્રિયા નથી આપતો. સલમાન ખુર્શીદે કહ્યું હતું કે કોંગ્રેસની સ્થિતિ ખરાબ છે અને તે મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી નહીં શકે.
ખુર્શીદે ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે ટોચના નેતૃત્વ પર મોટું નિવેદન આપ્યું. ખુર્શીદે કહ્યું કે, ઘણા લોકો પાર્ટી છોડીને ચાલ્યા ગયા. આ વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવી જોઇએ. સલમાન ખુર્શીદે કહ્યું, 'મને ખુબ જ દુ:ખ અને ચિંતા છે કે આપણે આજે એક પાર્ટીના રૂપે ક્યાં છીએ. તેથી કોઇ ફર્ક નહીં પડતો કે શું થશે પરંતુ અમે પાર્ટી નહીં છોડીએ. અમે એ લોકોની જેમ નથી કે જેમને પાર્ટી તરફથી તમામ વસ્તુ મળી અને જ્યારે ખરાબ સમય આવ્યો તો પાર્ટી છોડીને ચાલ્યા ગયા.'
મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા વિરુદ્ધ મુખ્યમંત્રી કમલનાથનો મામલો જગજાહેર છે. સિંધિયા પોતાની લોકસભા ચૂંટણી હારી ગયા હતા. પરંતુ તે મધ્યપ્રદેશ કોંગ્રેસની આગેવાની કરવા માટે ઉત્સુક છે. તેમના સમર્થક ગોવિંદ સિંહ રાજપૂત, અને ઉમંગ સિંધાર વરિષ્ઠ પાર્ટી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ પર નિશાન પણ સાધી ચૂક્યા છે. મામલો એ.કે. એન્ટોનીની અધ્યક્ષતા વાળી અનુસાશન સમિતિ પાસે લંબિત છે.
સિંધિયા અને પોસ્ટર વોર
હાલમાં જ ભોપાલમાં સિંધિયાના સમર્થનમાં પોસ્ટર લગાવામાં આવ્યા હતા. ગ્વાલિયરમાં પણ સિંધિયાને નવા પ્રદેશાધ્યક્ષ બનાવવાની માંગ ઉઠી છે. શિવપુરીમાં સિંધિયા સમર્થકોએ હોર્ડિગ્સ લગાવ્યા હતા. આ હોર્ડિંગમાં મુખ્યમંત્રી કમલનાથને સિંધિયાને લઇને સાત સવાલ પૂછ્યા હતા. આ હોર્ડિંગ્સ સિંધિયા સમર્થકોએ લગાવ્યા હતા. તેથી જાહેર છે કે કોંગ્રેસની અંદર બધુ જ ઠીક ચાલી રહ્યું નથી.