ફોર્મ પરત ખેંચતા હવે ભાજપ અને AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ
દાહોદના રાજકારણના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં દેવગઢ બારિયા બેઠક પર NCPના ઉમેદવાર ગોપસિંહ લવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસ-NCPના ગઠબંધનને આંચકો લાગ્યો છે. NCPના ઉમેદવાર ગોપસિંહ લવારે મેદાન છોડી દેતા હવે ભાજપ અને AAP વચ્ચે ચૂંટણી જંગ જામશે. મહત્વનું છે કે ત્રણ બેઠક પર ગઠબંધનને લઇન વફાદારીથી ચુંટણી લડવા અંગેના એનસીપીના નિવેદન સામે સવાલો ઊભા થયા છે.
ગુજરાત ઇલેક્શન | ચૂંટણી પહેલા જ કોંગ્રેસ-NCPના ગઠબંધનને મોટો ઝટકો, દેવગઢ બારિયા બેઠક પરથી NCPના ઉમેદવાર ગોપસિંહ લવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું, ફોર્મ પરત ખેંચતા હવે ભાજપ અને AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ#GujaratElection2022#Congress#NCP#AAPGujarat#BJP
ભાજપ અને AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ
ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને ત્રણ બેઠક પર કોંગ્રસ અને એનસીપી વચ્ચે ગંઠબંધન થયું હતું. જેમાં નરોડા, ઉમરેઠ, દેવગઢ બારિયાનો સમાવેશ થાય છે. ત્યારે હવે NCPના ઉમેદવાર ગોપસિંહ લવારે ફોર્મ પરત ખેંચતા દેવગઢ બારિયામાં ચુંટણીની અંતિમ ઘડીએ કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. મહત્વનું છે કે ગઠબંધન અંગે કોંગ્રેસનાં જગદીશ ઠાકોર અને એનસીપીના જયંત બોસ્કીએ પત્રકાર પરીષદમાં માહિતી આપી હતી. વધુમાં વફાદારીથી લડવા અંગેના નિવેદનો પણ આપ્યા હતા.એટલુ જ નહિ મહારાષ્ટ્રની માફક સરકાર બનાવવા ન પણ સપના જોયા બાદ આ બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે.
આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ
ગુજરાત ચૂંટણીના બીજા તબક્કામાંના કાર્યક્રમને લઇને આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. ત્યારે આજે કેટલા ઉમેદવારો પોતાના ફોર્મ પરત લે છે? તે બાદ 93 બેઠક પર યોજાનારી વિધાનસભાની ચુંટણીનું ચિત્ર સામે આવશે.