કોંગ્રેસ અને NCP ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકારના મુખ્યમંત્રી તરીકે જોવા માગે છે. સૂત્રોને મળતી માહિતી મુજબ બંને દળના નેતાઓએ શિવસેનાને જણાવી દીધુ છે કે તેઓ ઉદ્ધવ ઠાકરે સિવાય તેમની પાર્ટીમાંથી બીજો કોઇ ચહેરો ગઠબંધન સરકારના મુખ્યમંત્રી તરીકે જોવા માગતા નથી.
મહારાષ્ટ્રમાં સરકાર ગઠન પહેલા મુખ્યમંત્રીને લઇને ફસાયો પેચ
NCP-કોંગ્રેસ ઉદ્ધવ ઠાકરેને CM બનાવા ઇચ્છે છે
શિવસેનામાં CMને લઇને ચાલી રહી છે વાતચીત
શિવસેનામાં CMને લઇ બેઠકનો દોર
જો કે એક અહેવાલ મુજબ માતોશ્રીમાં શિવસેનાની ચાલી રહેલી બેઠકો બાદ એવી અટકળો સામે આવી રહી છે કે શિવસેના તરફથી દિગ્ગજ નેતા સુભાષ દેસાઇ અથવા પોતના ધારાસભ્ય દળના નેતા અને ઠાણેના એકનાથ શિંદે મુખ્યમંત્રી તરીકેના નામ પર વિચારણા કરવામાં આવી રહી છે.
CM ઉમેદવારને લઇને શિવસેનાએ શું કહ્યું?
જો કે શિવસેના સાર્વજનિક રીતે કહી ચૂકી છે કે તેમની પાસે મુખ્યમંત્રીને લઇને એકથી વધારે ઉમેદવાર છે. જો કે પાર્ટીમાં ઠાકરે પરિવારના જ કોઇ મુખ્યમંત્રી બને તેને લઇને સહમતિ જોવા મળી રહી છે.
શું કામ ઉદ્ધવ ઠાકરે CM તરીકે છે પસંદ
કોંગ્રેસના બે પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ અને NCPના બે પૂર્વ ઉપ-મુખ્યમંત્રી અજીત પવાર અને છગન ભુજબળ આ વખતે ચૂંટણી જીતને વિધાનસભા પહોંચ્યા છે. જ્યારે એવી પુરી શક્યતા છે કે ગઠબંધન સરકારમાં આ બધાએ નવા મુખ્યમંત્રીની સાથે કામ કરવુ પડશે. આ કારણસર ઉદ્ધવ ઠાકરે બધાના પસંદગીના ઉમેદવાર છે.
શિવસેનાની અંદર CMને લઇને આ ચાલી રહી છે કવાયત
જ્યારે બીજી તરફ શિવસેના નેતા અને વિધાન પરિષદની ઉપાધ્યક્ષ નીલમ ગોરેએ જણાવ્યું કે ઉદ્ધવ ઠાકરેને જ મુખ્યમંત્રી તરીકે જોવા માગે છે. પાર્ટીના લોકો માને છે કે ઉદ્ધવ ઠાકરેનું દરેક મુદ્દા પર ધ્યાન હોય છે અને તે મુદ્દાનું તાર્કિક સમાધાન પણ હોય છે.