બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધતી રહી છે, સુશાંત સિંહ રાજપૂતના મોત પછી શિવસેના , કોંગ્રેસ અને NCPના ગઠબંધન વાળી મહારાષ્ટ્ર સરકાર સાથે કંગના રનૌતનો ટકરાવ શરૂ થયો હતો જે પછીથી વિવિધ સમયે સપાટી પર આવતો રહ્યો છે.
કોંગ્રેસ- NCP એ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપો
કંગના અને ઊર્મિલા વિવાદમાં કોંગ્રેસ - NCPની એન્ટ્રી
ભાજપના વિશ્વાસઘાત પર મહારાષ્ટ્રની જનતા સ્ટેન્ડ લેશે: કોંગ્રેસ
આવા સમયમાં કોંગ્રેસ અને NCP દ્વારા ભાજપ પર આ મુદ્દે નિશાન તાકવામાં આવ્યું છે કે કંગના રનૌત તેમના ઇશારે જ મહારાષ્ટ્ર સરકારની નિંદા કરી રહી છે, આ મામલે તેમણે કહ્યું હતું કે ભાજપે એવું પાપ કર્યું છે જેને કદાપિ ધોઈ નહિ શકાય, પછી ભલેને આ મામલે તેઓ મહારાષ્ટ્રની જનતાની માફી જ કેમ ન માંગી લે!
મહારાષ્ટ્રની જનતાની માફી માંગી લે તો પણ ભાજપના પાપ નહીં ધોવાય : કોંગ્રેસ
પૂર્વ અભિનેત્રી અને શિવસેના નેત્રી ઉર્મિલા માતોન્ડકર પર કંગના રનૌત દ્વારા નિશાન સધાયા બાદ સરકારમાં સામેલ પક્ષોએ કહ્યું હતું કે ભાજપના વિશ્વાસઘાત પર મહારાષ્ટ્રની જનતા સ્ટેન્ડ લેશે.
મહત્વનું છે કે કંગના રનૌતે ઉર્મિલાના નવા ઓફિસ ખરીદવાના પ્રસંગે તેના પર પ્રહાર કરતા નિશાન તાક્યું હતું અને કહ્યું હતું કે ડિયર ઉર્મિલાજી, મેં પોતાની મહેનતથી જે મકાન બનાવ્યા તેને પણ કોંગ્રેસ તોડાવી રહી છે. હકીકતે ભાજપને ખુશ કરવાના મારા પ્રયત્નોમાં મને માત્ર 25-30 કેસ જ ભેટ તરીકે મળ્યા છે, કાશ કે હું પણ તમારી જેમ જ સમજદાર હોત તો કોંગ્રેસને ખુશ કરત, હું કેટલી મૂર્ખ છું સાચું કે નહિ?
ઉર્મિલા માતોન્ડકર એ ખરીદી હતી ઓફિસ
કંગનાએ આ ટ્વીટમાં ઉર્મિલા માતોન્ડકરની એ ઓફિસની વાત કરી હતી જે તેણે શિવસેનામાં સામેલ થયા પછી મુંબઈના એક વિસ્તારમાં ત્રણ કરોડ રૂપિયામાં ખરીદી હતી. જો કે આ મામલે ઉર્મિલાએ કંગનાને જવાબ આપ્યો હતો કે આ સમ્પતિ તેણે તેની અન્ય પ્રોપર્ટીને વેચીને મેળવેલા પૈસામાંથી ખરીદી છે જેના તમામ રેકોર્ડ તેની પાસે છે.
આ મામલે મહારાષ્ટ્ર સરકારમાં સામેલ કોંગ્રેસ અને NCP એ ભાજપની આકરી ટીકા કરી હતી બંને પક્ષોએ જણાવ્યું હતું કે કંગનાએ તેના ટ્વીટમાં આ વાત સ્વીકારી છે કે ભાજપ જ આ પ્રકારના કાવતરા પાછળ હતું અને કંગના જ તેને ખુશ કરવા માટે સરકારની નિંદા કરી રહી હતી. ભાજપ તેના આ પાપને ધોઈ નહિ શકે. આ મામલે NCP નેતા રોહિત પવારે પણ કહ્યું હતું કે આપણે કંગનાને શાબાશી આપવી જોઈએ, કે તેણે સ્પષ્ટ બોલીને ભાજપનો પર્દાફાશ કર્યો છે. મહારાષ્ટ્રની જનતા આ મામલે નિર્ણય લેશે.