મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી દ્વારા ત્રણ પક્ષો એક સાથે મળીને સરકાર ચલાવી રહયા છે ત્યારે ઔરંગાબાદનું નામ બદલવાના મુદ્દે સરકારની સહયોગી પાર્ટીઓ જ સામસામે આવી ગઈ છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ઉથલપાથલના એંધાણ
ઔરંગાબાદને લઈને રાજકારણ ગરમાયું
એનસીપી અને કોંગ્રેસ ભેગા મળીને શિવસેનાનો કરી રહી છે વિરોધ
શું છે મામલો ?
મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ જિલ્લાના નામ પર રાજકારણમાં ખૂબ મોટા વિવાદના અણસાર છે. એક તરફ શિવસેના ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરી દેવા માંગે છે તો શિવસેના સાથે જ સરકાર ચલાવી રહેલી બીજી બે પાર્ટીઓ એનસીપી અને કોંગ્રેસે તેનો વિરોધ કર્યો છે.
સરકાર મુસ્લિમોના વિરોધમાં છે : એનસીપી
શિવસેના દ્વારા નામ બદલવાના સ્ટેન્ડ પર એનસીપીએ નારાજગી વ્યક્ત કરી છે. NCP નેતા માજિદ મેમને ટ્વીટ કરીને કહ્યું કે એવું લાગી રહ્યું છે કે સરકાર મુસ્લિમોના વિરુદ્ધ છે. જોકે સહયોગી દળોના આ વિરોધ સામે શિવસેના પ્રવક્તા સંજય રાઉતે સવાલ કરતાં કહ્યું કે મને આ વિષયમાં જાણકારી નથી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ સાફ કર્યું છે કે આ સંભાજીનગર છે અને રહેશે. આ લોકોની ભાવનાની વાત છે અને તેના પર અમે ચર્ચા કરી શકે શકી છે પરંતુ આ વિષયમાં નિર્ણય લેવાઈ ગયો છે.
છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર હતા સંભાજી
નોંધનીય છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આઠમી જાન્યુઆરીએ કહ્યું હરતું કે ઔરંગાબાદને સંભાજીનગર કહેવામાં કશું નવું નથી. નોંધનીય છે કે સંભાજી મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજના મોટા દીકરા હતા અને શહેરનું નામ સંભાજીના નામ પર રાખવા બાબતે કોંગ્રેસ વિરોધ કરી રહી છે.
મુખ્યમંત્રી ઠાકરેએ પોતાના આધિકારિક ટ્વીટર એકાઉન્ટથી ઔરંગાબાદને સંભાજીનગર કહ્યું હતું જે બાદ ઠાકરેએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે આમાં નવું શું છે? અમે વર્ષોથી ઔરંગાબાદને સંભાજીનગર કહીએ છે. ઔરંગઝેબ ધર્મનિરપેક્ષ ન હતો તેના માટે ધર્મનિરપેક્ષ શબ્દ ઉપયુક્ત નથી.
કોંગ્રેસે પણ કર્યો વિરોધ
સીએમના આ નિવેદન બાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બાલસાહેબ થોરાટે કહ્યું કે શહેરનું નામ બદલી દેવાથી લોકોના જીવનમાં કોઇ જ ફેરફાર આવશે નહીં. આમાં કોઇ વિકાસ નથી. નોંધનીય છે કે વર્ષ 1995માં જ શિવસેનાએ ઔરંગાબાદને સંભાજીનગર બદલવા માટે માંગ કરી હતી.