ગુજરાતમાં ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન મોદી અને અમિક શાહ વિવિધ સભાને સંબોધી રહ્યાં છે તો બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ પ્રચાર કરવા ગુજરાતમાં મેદાને ઉતર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે નર્મદાના ડેડિયાપાડામાં જનસભા ગજવી છે. તેમણે ભાજપ આકરા પ્રહારો કર્યો હતાં.
મલ્લિકાર્જુન ખડગે ભાજપ પ્રહાર
નર્મદાના ડેડિયાપાડામાં મલ્લિકાર્જુન ખડગે જનસભા સંબોધી છે ખડગેને ભાજપ આકારા પ્રહાર કરતા કહ્યું કે, આ ચૂંટણી દેશ માટે મહત્વપૂર્ણ છે અને ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે. નહરુજીએ લોકતંત્રનો પાયો નાખ્યો છે તેમજ કોંગ્રેસના કાળમાં મજબૂતીથી કામ થયા છે કોંગ્રેસનું કામ મોરબી પૂલ જેવું નથી તેમણે જણાવ્યું તે, સૌથી ઓછો પૌષ્ટિક આહાર ગુજરાતમાં મળે છે અને અમે ફૂડ સિક્યુરિટિ એક્ટ લાવ્યા છીએ નરેગા યોજનાની મજાક ઉડાવાઈ રહ્યાં છે પરંતુ કોવિડના સમયમાં નરેગા યોજના કામ આવી છે.
કોંગ્રેસના સમયમાં મજબૂત કામ થયો છે:મલ્લિકાર્જુન ખડગે
તેમણે કહ્યું કે, આ ચૂંટણી ગુજરાત માટે જ નહી પણ દેશ માટે પણ મહત્વપૂર્ણ છે અને ભાજપે 27 વર્ષમાં જનતાની સમસ્યાનો સમાધાન નહી લાવી શકી તો તેમને નીકાળવાનો મતદાતા તમારા પાસે અધિકાર છે. તેમણે કહ્યું કે, અહીં ડબલ એન્જિનની વાત કરવામાં આવે છે પરંતુ એટલા વર્ષથી ડબલ એન્જિન છે છતાં પણ એ ગાડી ના ચાલે તો નવા એન્જિનવાળી ગાડી લાવવી જોઈએ. તેમણે જણાવ્યું દિલ્હીથી આવેલા લોકો અહીં વચ્ચે અડચણ રૂપ થાય છે પરંતુ તમારે વિચારવાનું છે અને કોંગ્રેસના સમયમાં મજબૂત કામ થયો છે, અમારા સમયમાં આજે પૂલ રિપેર કરીએ અને કાલે તૂટી ગયો તેવું નથી બન્યું
તમે દેશના ગરીબોને લૂટો છો:ખડગે
તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, અમને મોદીજી અને શાહ વારંવાર પૂછે છે તો 70 વર્ષમાં કોંગ્રેસ શુ કર્યું? તેમને કહું કે, અમે 70 વર્ષમાં કઈ ન કર્યું હોત તમે લોકતંત્ર ન થઈ શકત અને તેમણે કહ્યું કે, એ લોકો વારંવાર કહે છે હું ગરીબ છે મને આમ કહ્યું મને તેમ કહ્યું પરંતું અમે ગરીબથી ગરીબ છીએ પરંતુ તમે વારંવાર જુઠ પર જુઠ બોલો છો અને તમે જુઠોના સરદાર છો. તેમણે કહ્યું કે, અમને કહે છે કે કોંગ્રેસએ દેશને લૂટ્યો પણ તમે દેશના ગરીબોને લૂટો છો, ગરીબોની જમીન લૂટો છો.