રાજયસભામાં રવિવારે કૃષિ બિલને લઇને હોબાળો જોવા મળ્યો. સરકાર દ્વારા રાજ્યસભામાં કૃષિ અંગેના બિલ રજૂ કરવામાં આવ્યા. ત્યારે ગુજરાતના કોંગ્રેસ સાંસદ અહેમદ પટેલ અને શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકાર કૃષિ બિલની ચર્ચામાં ખેડૂતોને લઇને નિશાન તાક્યું છે. અહેમદ પટેલે કહ્યું કૃષિ બિલનું હિત મૂડીવાદીઓ માટે છે. જ્યારે શક્તિસિંહ ગોહિલે ખેડૂત બિલ પર સરકાર પર આકરા પ્રહાર કરતાં ફિલ્મી ગીતના શબ્દોમાં કહ્યું 'સજન રે જુઠ મત બોલો, ભગવાન કે ઘર જાના હૈ'
રાજ્યસભામાં અહેમદ પટેલ અને શક્તિસિંહ ગોહિલનું નિવેદન
ખેડૂતોને ભ્રમિત કરવામાં આવે છે આ વાત ખેડૂતોનું અપમાન છે: શક્તિસિંહ
કૃષિ બિલનું હિત મૂડીવાદીઓ માટેઃ અહેમદ પટેલ
રાજ્યસભામાં સાંસદ અહેમદ પટેલનું નિવેદન
રાજ્યસભામાં કૃષિ બિલ મુદ્દે ચર્ચા દરમિયાન સાંસદ અહેમદ પટેલે સરકાર પર પ્રહાર કર્યા. અહેમદ પટેલે કહ્યું કે સરકારને માર્કેટિંગ, પેકેજિંગ અને મેનેજિંગ કરતા જ આવડે છે. જે.પી.નડ્ડાએ અમારા ચૂંટણી ઢંઢેરા વિશે વાત કરી.
પરંતુ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને કિંમત નક્કી કરવાની વાત હતી. ત્યારે સરકારનું કૃષિ બિલનું હિત મૂડીવાદીઓ માટે છે. કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં 5 પ્રમુખ સુરક્ષા ઉપાયો દર્શાવ્યા હતા. અહેમદ પટેલે કહ્યું કે કૃષિ સંબંધિત બિલ પહેલા કેન્દ્ર સરકાર ન્યાય યોજના લાગુ કરે.
રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલનું નિવેદન
રાજ્યસભામાં કૃષિ બિલને લઇને ચર્ચામાં ગુજરાતના કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે સરકાર પર નિશાન તાક્યું હતું. શક્તિસિંહ ગોહિલે કહ્યું MSP ન આપનાર સામે કાર્યવાહીની જોગવાઇ કેમ નહીં ? ખેૂડતોને ભ્રમિત કરવામાં આવે છે, આ વાત ખેડૂતોનું અપમાન કરે છે. બિલમાં કલેકટરને શક્તિ આપવામાં આવી છે.
શક્તિસિંહ ગોહિલે કહ્યું ખેડૂત ન કોર્ટમાં જઇ શકે, ન પોલીસ પાસે તો આ બિલ શું કામનું. ખેડૂતોને લૂંટી પણ લેવામાં આવશે અને સાંભળવામાં પણ નહીં આવે. તમે તમારા મંત્રીને ન સમજાવી શક્યા તો દેશને કેમ સમજાવશો.
શક્તિસિંહ ગોહિલે સજન રે જુઠ મત બોલો, ભગવાન કે ઘર જાના હૈ. કોંગ્રેસ સાંસદે બિલ સિલેક્ટ કમિટિ પાસે મોકલવાની માગ કરી.