કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કોરોના વેકસીનેશન મુદ્દે એક શ્વેત પત્ર લખ્યો, સાથે જ કહ્યું કે કેન્દ્ર સરકાર કોરોનાની સામે જંગ જીતવામાં અને વેકસીનેશન માટે ક્યારેય સંવેદનશીલ રહી નથી.
શ્વેત પત્ર એટલે સરકાર પર આંગળી નથી ચીંધી
કોરોના રાહત ફંડ જાહેર કરવામાં આવે
મનમોહનસિંહે ક્યારેય પોતાના પોસ્ટર્સ નથી લગાવ્યા
શ્વેત પત્ર એટલે સરકાર પર આંગળી નથી ચીંધી
કોરોના મહામારીમાં શ્વેત પત્ર જાહેર કરવો એટલે સરકાર પર આંગળીઓ ના ચીંધવી, એટલે કે દેશમાં આવનાર ત્રીજી લહેરમાં સરકારની મદદે આવવું. રાહુલ ગાંધીએ કોરોના મહામારી વચ્ચે આ પત્ર લખીને એ વાત કરી કે PM મોદીની સરકાર મહામારીમાં બધા જ મોરચાઓ પર નિષ્ફળ થઈ છે. સાથે જ તેમણે કહ્યું કે કોરોના રસીકરણ પર શ્વેત પત્ર લખવો એટલે સરકારની કામગીરી પર સવાલ ના ઉઠાવવા પણ સરકારેને ત્રીજી લહેર માટે સચેત કરવાની વાત છે.
The aim of this white paper on COVID19 is not finger-pointing at the government but to help the nation prepare for the third wave of infection. The whole country knows that a third wave will strike: Congress leader Rahul Gandhi pic.twitter.com/5wgsBpj3jk
કોરોના રાહત ફંડ જાહેર કરવામાં આવે
સમગ્ર દેશ જાણે છે કે ત્રીજી લહેર આવવાની છે, રાહુલ ગાંધીએ કહ્યું કે હું સરકાર સાથે માંગ કરું છે કે કોરોના રાહત ફંડની વ્યવસ્થા કરે અને જે પણ પરિવારમાં ઘરનો મુખ્ય વ્યક્તિ જ કોરોનાનો ભોગ બન્યો હોય, તો તેવા પરિવારને આર્થિક મદદ કરવામાં આવે. એ સ્પષ્ટ છે કે કોરોનાની બીજી અને ત્રીજી લહેરમાં ઘણા બધા પરિવાર વાળાઓએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. આ માટે બધા જ લોકોએ ઘણા બધા અને અગણિત પ્રયત્નો કર્યા છે. હું એ પણ કહું છું કે કોરોનાની ત્રીજી લહેર બાદ હજી ઘણી લહેરો આવી શકે છે કારણકે આ વાયરસ પરિવર્તિત છે. તો સરકાર નાના વ્યવસાયો વાળા, ગરીબ લોકો માટે ફંડ આપી આ વાતનું સમર્થન કરવું જોઈએ. આ બધા જ પરિવારો માટે કોરોના રાહત ફંડ જાહેર કરવું જોઈએ, જે પરિવારવાળાએ ઘરમાં મુખ્ય કમાનર વ્યક્તિને ગુમાવી દીધા હોય.
મનમોહનસિંહે ક્યારેય પોતાના પોસ્ટર્સ નથી લગાવ્યા
ગઇકાલે 80 લાખ વેક્સિન ડોઝ આપવામાં આવ્યા, જેનાથી અમે ખુશ છીએ. પણ આનથી વધુ ટીકાકરણ પોલિયોના કાર્યકર્મમાં થતું હોય છે, જે 17 કરોડ હતું. એ અલગ વાત છે કે એ સમયે મનમોહનસિંહે પોતાના પોસ્ટર્સ લગાવ્યા ન્હોતા. ગઇકાલે ઘણું સારું કામ થયું, પણ આ એક ઘટના નથી આ માત્ર એક પ્રક્રિયા છે. આપણે આ પ્રક્રિયા એકદમ દિલથી કરવાની છે અને ત્યાં સુધી કરવાની છે જયાં સુધી આપણે સમગ્ર દેશવાસીઓનું ટીકાકરણ ન કરી લઈએ.