હાથરસની ઘટના પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એક વાર યૂપી સરકાર પર નિશાન સાધ્યું છે. તેઓએ ટ્વિટ કરીને કહ્યું છે કે શરમનાક સચ્ચાઈ એ છે કે અનેક ભારતીય દલિત, મુસલમાન અને આદિવાસીઓને માણસ સમજતા નથી.
હાથરસ દુષ્કર્મ કેસ
રાહુલ ગાંધીના યોગી સરકાર પર પ્રહાર
યોગી સરકાર પર સાધ્યું નિશાન
રાહુલ ગાંધીએ કહ્યું કે મુખ્યમંત્રી અને તેમની પોલીસ કહે છે કે કોઈનો રેપ થયો નથી. કેમકે તેને માટે અન્ય અનેક ભારતીયોને માટે તે પીડિતા કોઈ નથી. રાહુલ ગાંધીએ એક રિપોર્ટ પર ટિપ્પણી કરતાં કહ્યું કે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે યૂપી સરકારને નિશાન બનાવ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે શરમનાક સચ્ચાઈ એ છે કે અનેક ભારતીયો, દલિતો, મુસલમાનો અને આદિવાસીઓને માણસ સમજતા નથી.
The shameful truth is many Indians don’t consider Dalits, Muslims and Tribals to be human.
The CM & his police say no one was raped because for them, and many other Indians, she was NO ONE.https://t.co/mrDkodbwNC
યૂપી સરકારને નિશાન બનાવીને રાહુલ ગાંધીએ કહ્યું કે મુખ્યમંત્રી અને તેમની પોલીસ કહે છે કે કોઈ રેપ થયો નથી. કેમમકે તેમને માટે કોઈ અન્ય ભારતીયોને માટે પીડિતા કોઈ ન હતી. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાથરસની ઘટનાને લઈને પહેલાથી યૂપી સરકાર પર નિશાન સાધી રહ્યા છે. તેઓ પીડિતાના ઘરે પણ ગયા હતા. યૂપી સરકાર ઈચ્છે તો પણ પીડિત પરિવારની સાથે મનમાની કરી શકશે નહીં. હવે દેશની દીકરીને ન્યાય અપાવવા માટે આખો દેશ ઊભો છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે આ મુશ્કેલ સમયમાં અમે પરિવારની સાથે છીએ અને તેને ન્યાય અપાવવામાં મદદ કરીશું. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પીડિતાની લાશને અડધી રાતે શા માટે સળગાવી દેવામાં આવી. પરિવારને ધમકી શા માટે આપવામાં આવી રહી છે અને શા માટે નિવેદન બદલવા મજબૂર કરવામાં આવી રહ્યો છે. પ્રિયંકાએ આ કેસમાં પીડિત પરિવારની તરફથી હાથરસ ડીએમને હટાવવા અને ન્યાયની માંગ કરી હતી.