કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. આનંદ શર્માએ પીએમ મોદીની પ્રશંસા કોરોના વેક્સીન તૈયાર કરી રહેલી કંપનીઓના કામકાજને લઇને કરવામાં આવેલી સમીક્ષાને લઇને છે.
આનંદ શર્માએ કહ્યું કે આ વેક્સીનથી ભારતીય વૈજ્ઞાનિકોને ઓળખ મળી છે અને અગ્રેસર રહેલા કોવિડ યોદ્ધાઓનું મનોબળ વધારશે. ઉલ્લેખનીય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોના વેક્સીન તૈયાર કરી રહેલી કંપનીઓની મુલાકાતે પહોંચ્યા હતા. આનંદ શર્માએ કહ્યું કે પ્રધાનમંત્રીની આ મુલાકાત ભારતીય વૈજ્ઞાનિક અને કોવિડ-19ની રસી બનાવાની તેમના કામની ઓળખ છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ ટ્વિટ કરી કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીરમ ઇન્સ્ટીટયૂટ, ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાની મુલાકાત ભારતીય વૈજ્ઞાનિકો અને કોવિડ-19 માટે રસી તૈયાર કરવાને લઇને તેમના કામની ઓળખ છે. આ અગ્રિમ હરોળના કોવિડ યોદ્ધાઓનું મનોમબળ વધારશે અને રાષ્ટ્રને ખાતરી આપશે.
આનંદ શર્માએ કહ્યું, આ એ સંસ્થાઓનું પણ સન્માન છે, જેને ભારતે ઘણા દાયકામાં તૈયાર કર્યું છે, જેમાં ભારતને દુનિયાના સૌથી મોટી રસીના નિર્માતા બનાવવાની વિશેષતા અને ક્ષમતા છે. પ્રધાનમંત્રીને આગ્રહ છે કે રસી ઉપલબ્ધ થવા પર કુશળ અને યોગ્ય ન્યાયસંગત વ્યવસ્થા સુનિશ્ચિત કરે.
જો કે એક દિવસ પહેલા જ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મુલાકાતને લઇને નિશાન તાક્યું હતું, જ્યારે શનિવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ, હૈદરાબાદ અને પુણેની મુલાકાત કરી કોરોના વાયરસની રસીના વિકાસ અને નિર્માણ પ્રક્રિયાની સમીક્ષા કરી હતી.