કોરોના સંક્રમણના સમય દરમિયાન આજથી સંસદનું મૉનસૂન સત્ર શરૂ થયું છે. આ મોનસૂન સત્ર હંગામેદાર રહેવાની પુરી શક્યતા છે. કોંગ્રેસ દ્વારા લોકસભામાં ચીન તરફથી વારંવાર કરવામાં આવી રહેલી ઘૂસણખોરી મુદ્દે જ્યારે CPMએ દિલ્હી તોફાનને લઇને લોકસભામાં સ્થગન પ્રસ્તાવની નોટીસ આપી છે.
કોરોનાકાળમાં સંસદના મોનસૂન સત્રનો પ્રારંભ થયો છે. આ સત્ર હંગામેદાર રહેવાની પુરી સંભાવના છે. કોંગ્રેસ દ્વારા લોકસભામાં ચીન તરફથી કરવામાં આવી રહેલી વારંવાર ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવ જઇ રહી છે. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભામાં ચીનના મુદ્દા પર સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી છે.
જ્યારે CPMએ દિલ્હી તોફાનના મામલે પાર્ટીના નેતા સીતારામ યેચૂરીનું નામ આવવાનો મુદ્દો બનાવી રહી છે. CMP સાંસદ એએમ આરીફે દિલ્હી પોલીસ દ્વારા દિલ્હી તોફાનોની ચાર્જશીટમાં સીતારામ યેયૂરીનું નામ આવવા પર લોકસભામાં સ્થગન પ્રસ્તાવ નોટિસ જારી કરી છે.
આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોનસૂન સત્રને લઇને સંસદ ભવન પહોંચ્યા હતા. જો કે સંસદ સત્ર પહેલા પીએમ મોદીએ નિવેદન આપતા કહ્યું કે આજે સંસદનો પ્રારંભ થઇ હ્યો છે. કોરોના પણ છે અને કર્તવ્ય પણ છે. તમામ સાંસદોએ કર્તવ્યનો માર્ગ પસંદ કર્યો છે. આ પહેલ માટે તમામ સાંસદોને ધન્યાવાદને પાત્ર ગણું છે.
કોરોનાના કારણે આ વખતે પણ લોકસભા-રાજ્યસભાનો સમય બદલવો પડ્યો છે. સાંસદોએ કર્તવ્ય પથ પર આગળ વધવા નિર્ણય કર્યો છે. આ સત્રમાં અનેક વિષયો પર ચર્ચા થશે. પીએમ મોદીએ કહ્યું સેનાના જવાનો પાછળ દેશ-સંસદ-સંસદીય સભ્યો ઉભા છે.