તૌકતે વાવાઝોડાના કારણે સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં અપાતી કેશડોલમાં ભેદભાવ રખાયો હોવાના આરોપ સાથે ઊના કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશના ધરણાં
ઊનાના કોંગ્રેસના MLA પુંજા વંશ બેઠા ધરણા પર
ઊના પ્રાંત કચેરી ખાતે બેઠા ધરણા પર
કેશડોલમાં ભેદભાવને લઇ બેઠા ધરણા પર
તૌકતે વાવાઝાડાએ સર્જેલી તબાહી બાદ ઊના અને ગીર ગઢડાના ગ્રામ્ય વિસ્તારો ભાંગી પડયા છે. સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કેશડોલ દ્વારા સહાય આપવામાં આવી રહી છે. જો કે આ સહાયમાં ભેદભાવ રખાયો હોવાના આરોપ સાથે ઊના કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે કર્યા છે. અને પ્રાંત કચેરી ખાતે પહોંચી પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે. સાથે અનિશ્ચિતના ધરણાં પર બેઠા છે. પૂજા વંશનો આરોપ છે કે, એક ગામના લોકોને 300 અને બીજાને 700 રૂપિયા ચૂકવાય રહયા છે.
કેશડોલ મુદ્દે સરકારે જાહેર કર્યા હતા આ નિયમ
તૌકતે વાવાઝોડાના કારણે જે લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું. તેમને કેશડોલ આપવાની જાહેરાત કરાઈ હતી. જે મામલે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આશરે 2.50 લાખ લોકોને સ્થળાંતરીત કરાયા હતા. અને આ લોકોની રોજીરોટી બંધ થઈ છે. જે લોકોને 16 મેના રોજથી સ્થળાંતરીત કર્યા હતા તેવા તમામ લોકોને 7 દિવસની કેશડોલ આપવામાં આવશે. જેમાં મોટા લોકોને 100 અને બાળકો માટે રૂ.60નો કેશડોલની ચૂકવણી થશે.
સરકારે 7 દિવસની કેશડોલ જાહેર કરી હતી. જે હિસાબથી મોટા લોકોને 700 રૂપિયા અને બાળકોને 420 રૂપિયા કેશડોલ પ્રાપ્ત થશે. ત્યારે આ કેવી બેધારી નીતિ છે. તે સમજાતું નથી. ખડા અને કાળાપાણ ગામને 100 ટકા કેશડોલ આપી છે. MLA પૂજા વંશે ચીમકી આપી છે કે, જ્યાં સુધી દરેક ગામ અને લોકોને ન્યાય મળશે નહીં. ત્યાં સુધી ધરણા પર યથાવત રહેશે.