આજે વિધાનસભાના છેલ્લા દિવસે ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ઘૂસી આવ્યા અને હોબાળો મચાવ્યો જે બાદ વિધાનસભા અધ્યક્ષે 10 ધારાસભ્યો આજના દિવસની કામગીરીમાંથી સસ્પેન્ડ કર્યા
વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનો હોબાળો
કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ઘૂસી આવ્યા
વેલીમાં આવેલા ધારાસભ્યોને કરાયા સસ્પેન્ડ
ગુજરાત વિધાનસભાન ચોમાસું સત્રનો આજે બીજો દિવસ છે, ત્યારે આજે છેલ્લા દિવસે ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા અને હોબાળો મચાવતા અધ્યક્ષે 10 ધારાસભ્યોને આજના દિવસ પૂરતા સસ્પેન્ડ કરી દીધા છે.
કોરોના અંગે વિધાનસભા ગૃહમાં વિપક્ષનો હોબાળો
કોરોના મુદ્દે સરકારની નબળી કામગીને લઈ પ્રશ્નો પૂછાતા હોબાળો થયો હતો કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં પોસ્ટર્સ બતાવી વિરોધ કરી કેટલાક ધારાસભ્યો વેલામાં ઘૂસી અને વેલમાં બેસી વિરોધ કર્યો હતો. કોંગ્રેસના પરેશ ધાનાણી, વિરજી ઠુંમર, અશ્વિન કોટવાલ, ગુલાબસિંહ રાજપૂત,લલિત વસોયા, નૌશાદ સોલંકી, અમરીશ ડેર વેલમાં ઘૂસી આવતા વિધાનસભા અધ્યક્ષે 10 ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે. તો કોંગ્રેસના હોબાળાના કારણે વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે તેમજ પ્રશ્નોત્તરીકાળ પૂર્ણ થાય ત્યા સુધી ગૃહ કામગીરી સ્થગિત કરાઈ છે. બીજી તરફ વેલમાં આવેલા ધારાસભ્યો આજના દિવસની કામગીરીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે.
બનાસકાંઠામાં વેક્સિનેશનને લઈને ઉઠ્યા સવાલ
કોરોના વેક્સિનેશન અંગે ગૃહમાં વિપક્ષએ આરોપ કર્યો કે બનાસકાંઠામાં 45 વર્ષથી વધુને 100% વેક્સિનનો દાવો કરાયો પરતું આ દાવાને લઇ ગેનીબેન ઠાકોરે કહ્યું કે હકીકતમાં બનાસકાંઠામાં લોકોને વેક્સિન નથી મળી રહીં. માત્ર આધારકાર્ડ લઇ વેક્સિન અપાયાના દાવા થાય છે. ગ્રામ્ય વિસ્તારમાં હજૂ પણ વેક્સિન નથી મળી રહીં.
ગેનીબેનના પ્રશ્ન પર મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપતા કહ્યું કે સરકાર વેક્સિન અંગે કટિબદ્ધ છે. દરિયા, રણ, બસ સ્ટેશનમાં પણ વેક્સિન અપાઇ રહીં છે. તેમણે વધુમાં કહ્યું કે રાજ્યમાં 4.15 કરોડને પ્રથમ ડોઝ અપાયો છે અને 1.84 કરોડ લોકોને બંન્ને ડોઝ અપાઇ ચુક્યા છે જ્યારે 84 ટકાને પ્રથમ ડોઝ અપાઇ ગયો છે તો ગુજરાતમાં કુલ 6.57 કરોડ ડોઝ અપાયા છે.
જાફરાબાદ-રાજુલામાંથી 31 સિંહોને ખસેડાયા
ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર રાજ્યમાં સિંહોની અંગે પૂછાયેવા પ્રશ્નોમાં સરકારે જવાબ આપતા કહ્યં કે છેલ્લા 2 વર્ષમાં જાફરાબાદ-રાજુલામાંથી 31 સિંહોને ખસેડાયા છે, અને બીમાર સિંહોની સારવાર અને સ્વાસ્થ્યની ચકાસણી માટે ખસેડાયા હોવાનું સરકારે જણાવ્યું હતું જ્યારે 23 સિંહોને રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં મુક્ત કરાયા તો 5 સિંહોને ગીર રક્ષિત વિસ્તારમાં મુક્ત કરાયા અને 3 સિંહોના સારવાર દરમિયાન મોત થયા હોવાનો સરકાર દ્વારા જવાબ રજૂ કરાયો હતો.
વિધાનસભા ગૃહમાં સરકારનો લેખિત જવાબ
રાજ્યમાં બિન અનામત આયોગ દ્વારા ગ્રાંટની ફાળવણી મુદ્દે પણ વિધાસભા ગૃહમાં સરકારે લેખિતમાં જવાબ રજૂ કર્યો હતો, જેમાં છેલ્લા બે વર્ષેમાં 174.01 લાખની ગ્રાંટ ફાળવામાં આવી અને છેલ્લા બે વર્ષેમાં 126.05 લાખ રૂપિયાની ગ્રાંટ વાપરવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે. તો સરકારે 47.96 લાખની ગ્રાંટ ઉપયોગ કરવાની રહી ગઈ હોવાનું જણાવ્યું છે. અનામત આયોગ અંગે રાજેશ શાહ દ્વારા પ્રતાપ દુધાતને રોકડું પરખાવ્યું હતું અને કહ્યું હતું કે હાલ જ્યાં બેઠા છો ત્યાં જ વર્ષો સઉદી બેસવુ પડશે, વધુમાં રાકેશ શાહે કહ્યું કે ભાજપે અનામત આપતા ગરીબ વર્ગના બાળકોને રાહત થઈ હોવાનું જણાવ્યું હતું