રાજ્યમાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભામાં જતાં ખાલી પડેલી રાજ્યસભાની ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે. વિધાનસભાના ચોથા માળે રાજ્યસભાની ચૂંટણી માટે બે બૂથ બનાવવામાં આવ્યાં હતા. જ્યાં સવારે નવ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન ચાલ્યું. મતદાન પ્રક્રિયામાં જેમ જેમ દિવસ પસાર થતો ગયો તેમ તેમ મીડિયા જગત, રાજકારણ સાથે નિસબત ધરાવતા રાજ્યનાં નાગરિકો અને રાજકીય વર્તુળોમાં હળવી ઉત્તેજના પ્રસરાતી ગઈ અને આ ઉત્તેજના ત્યારે વધારે ઘેરી બની જ્યારે કોંગ્રેસનાં બે બળવાખોર ધારાસભ્યો મતદાન કરવા મતદાન ખંડમાં પ્રવેશ્યાં.
રાજ્યસભાની બે બેઠકો માટેની ચૂંટણીમાં કોંગ્રેસે જે વાતનું પૂર્વાનુમાન લગાવ્યું હતું તે તે થઈને જ રહ્યું. કોંગ્રેસનાં બળવાખોર ધારાસભ્યોએ ભાજપ તરફી વોટ કરીને પાર્ટીનાં વ્હીપનો ખુલ્લેઆમ ભંગ કર્યો છે. અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા વિરૂદ્ધ કોંગ્રેસ પક્ષાંતર ધારા હેઠળ પગલાં લે તે પહેલાં આ ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ સંખ્યાબળની દ્રષ્ટીએ સતત નબળી પડી રહી છે ત્યારે હવે તેની આગામી રણનીતિ કેવી હશે તેનાં પર સહુની નજર ટકી છે. ત્યારે જોઈએ આ રિપોર્ટ.
રાજ્યમાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભામાં જતાં ખાલી પડેલી રાજ્યસભાની ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે. વિધાનસભાના ચોથા માળે રાજ્યસભાની ચૂંટણી માટે બે બૂથ બનાવવામાં આવ્યાં હતા. જ્યાં સવારે નવ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન ચાલ્યું. મતદાન પ્રક્રિયામાં જેમ જેમ દિવસ પસાર થતો ગયો તેમ તેમ મીડિયા જગત, રાજકારણ સાથે નિસબત ધરાવતા રાજ્યનાં નાગરિકો અને રાજકીય વર્તુળોમાં હળવી ઉત્તેજના પ્રસરાતી ગઈ અને આ ઉત્તેજના ત્યારે વધારે ઘેરી બની જ્યારે કોંગ્રેસનાં બે બળવાખોર ધારાસભ્યો મતદાન કરવા મતદાન ખંડમાં પ્રવેશ્યાં.
રાધનપુરનાં કોંગ્રેસનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને બાયડનાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસનાં વ્હીપનો અનાદર કરીને ભાજપ તરફી વોટિંગ કર્યુ અને કોંગ્રેસમાં ધીમો ઉશ્કેરાટ શરૂ થઈ ગયો. બજેટની પશ્ચાદભૂમાં ચાલતા રાજ્યસભાનાં મતદાનનો વિષય રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગયો. કેમ કે, કોંગ્રેસને જેની ચિંતા હતી તે જ થઈને રહ્યું. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે પોતાનાં જ પક્ષ સામે છેડેલા વિરોધનાં સૂર આજે મતનું શસ્ત્ર બનીને કોંગ્રેસ પર વિઝાઈ ગયા. આ બંન્ને ધારાસભ્યોએ કોંગ્રેસનાં વિરોધમાં ભાજપ તરફી મતદાન કરીને કોંગ્રેસને વધારે નબળી પાડી દીધી. એટલું જ નહીં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર શાબ્દિક તીરથી પણ પ્રહાર કર્યા.
અલ્પેશ ઠાકોરનું કહેવું છે કે તેણે કોંગ્રેસથી મુક્ત થઈને પોતાના માથા પરનો ભાર હળવો કર્યો છે. પરંતુ આ તરફ એક કોંગ્રેસી ધારાસભ્યની મનમાનીથી કોંગ્રસનાં આગેવાનોની માથાની ગરમી વધી ગઈ છે. પોતાનાં કોઈ પણ ધારાસભ્ય ક્રોસ વોટિંગ ન કરે તે માટે કોંગ્રેસે પૂરતો બંદોબસ્ત કરી રાખ્યો હતો અને વ્હીપ દ્વારા સખત શબ્દોમાં ધારાસભ્ય પદ રદ કરવાની ધમકી પણ આપી હતી. જો કે તેમ છતાં પોતાનાં બે બળવાખોર ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને અંકુશમાં રાખવા કોંગ્રેસ સફળ ન રહ્યું. ત્યારે હવે કોંગ્રેસનાં મોવડીઓ આ બન્ને ધારાસભ્યોને પક્ષાંતર ધારાની સજા આપવા મન બનાવ્યું છે.
કોંગ્રેસ દ્રારા આ બન્ને ધારાસભ્યોને વ્હીપ અનાદરની કેવી સજા કરાય છે તે તો કાર્યવાહી બાદ ખબર પડશે પરંતુ રાજ્ય સભાની ચૂંટણીમાં રાજકી પક્ષ તેનાં ધારાસભ્યોને વ્હીપ જારી કરી શકે કે નહીં? આ વ્હીપથી વિરૂદ્ધ જો કોઈ ધારાસભ્ય ક્રોસ વોટિંગ કરે કે નોટાનો ઉપયોગ કરે તો તે છ વર્ષ માટે ચૂંટણી લડવાથી ગેરલાયક ઠરે કે નહીં? આ સવાલોનાં જવાબોમાં પ્રખર બંધારણીય નિષ્ણાતોમાં પણ મતમતાંતર પ્રવર્તે છે.
આ પરિપ્રેક્ષ્યમાં કેટલાંક બંધારણીય નિષ્ણાતોનું કહેવું છે કે, પાર્ટી વ્હીપ જારી કરી શકે અને જો તે મુજબ મતદાન ન થાય તો આમ કરનાર ધારાસભ્યએ પક્ષનાં આદેશનો ભંગ કર્યો ગણાય અને તેની સામે વ્હીપનાં અનાદર માટે સજા થઈ શકે, તો અન્ય એક સિનિયર કાઉન્સેલનું કહેવું છે કે, રાજ્યસભાની ચૂંટણીમાં તો આત્માનાં અવાજ મુજબ જ મતદાન કરવાની ફિલસૂફી છે.
એટલે રાજકીય પક્ષ વ્હીપ જારી જ ન કરી શકે. બહુ બહુ તો ધારાસભ્યને અમુક પ્રકારે મતદાનનો આદેશ આપી શકે. જો તે મુજબ મતદાન ન કરે તે ધારાસભ્ય સામે શિસ્ત ભંગનાં પગલાં ભરી તેને પક્ષમાંથી બરતરફ કરી શકાય. પરંતુ આ કિસ્સામાં તો અલ્પશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે ત્યારે તેમની સામે વ્હીપ અનાદરનાં કેવા પગલાં લેવાય છે છે જોવું રહ્યું.