ગુજરાત વિધાનસભામાં આજે બજેટ સત્રનો ત્રીજો દિવસ છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશે અસંદીય શબ્દ પ્રયોગ કરતાં 7 દિવસ માટે સ્પેન્ડ કરાયા
ધારાસભ્ય પૂંજા વંશને ગૃહમાંથી સસ્પેન્ડ કરાયા
અસંસદીય શબ્દ પ્રયોગ બદલ 7 દિવસ માટેસ સ્પેન્ડ કરાયા
પંકજ દેસાઈએ પૂંજા વંશને સસ્પેન્ડ કરવા માંગ કરી હતી
વિધાનસભામાં બજેટ સત્રની ત્રીજા દિવસે ચાલી પ્રશ્નોત્તરી દરમિયા કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીને પ્રશ્નનો યોગ્ય ઉત્તર ન મળતાં ભારે હોબાળો મચાવ્યો હતો. તે દરમિયાન ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, આવી દાદાગીરી અહીંયા ના ચલાવી લેવાય. ગૃહમંત્રીના આવા નિવેદન સાથે જ કોંગ્રેસના ધારાસભ્યો ઉશ્કેરાઈ ગયા હતાં. અને વિધાનસભા ગૃહમાં ઉભા થઈને ભારે હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું હતું. દરમિયાન પૂંજા વંશે ગૃહરાજ્યમંત્રી અંગે અસંદીય શબ્દ પ્રયોગ કર્યો હતો.
અસંસદીય શબ્દ પ્રયોગ બદલ MLA પૂંજાભાઈ વંશને ગૃહમાંથી 7 દિવસ માટે સસ્પેન્ડ
જેને લઈને ગૃહની કામગીરી થોડા સમય માટે ખોરંભે પડી ગઈ હતી.આ દરમિયાન રાજેન્દ્ર ત્રિવેદી આ શબ્દો પાછા ખેંચવા વિધાનસભાના અધ્યક્ષને સૂચન કરતાં અધ્યક્ષ નીમાબેન આચાર્યએ ધારાસભ્ય પૂંજાભાઈ વંશને શબ્દોને પાછા ખેંચવા કહ્યું હતું. અંતે પૂંજાભાઈ વંશે શબ્દ પાછા ખેંચી કહ્યું હતું કે, ગૃહમંત્રીની બોડી લેંગ્વેજ તેમની ભાષા પણ શોભે એવી નથી. જે અંગે ભાજપના ધારસભ્ય પંકજ દેસાઈએ અઘ્યક્ષ સમક્ષ પૂંજાભાઈ વંશને સસ્પેન્ડ કરવા માંગ કરી હતી. અંતમાં વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશને 7 દિવસ માટે સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી કર્યું વોકઆઉટ
વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય દ્વારા કોગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશને અસંસદીય શબ્દ પ્રયોગ બદલ વિધાનસભા ગૃહમાંથી 7 દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. જેનો વિરોધ ધારાસભ્ય શૈલેષ પરમારે કર્યો હતો. બાદમાં આ મામલે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી કર્યું વોકઆઉટ
બજેટસત્રના પહેલા દિવસે પણ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભાના ગૃહના બજેટસત્રના પ્રથમ દિવસે જ રાજ્યપાલે સંબોધન કર્યું હતું, પણ રાજ્યપાલે સંબોધન હાથ ધરતાં કોંગ્રેસે ‘ગૃહમંત્રી રાજીનામું આપે’ તેવા સૂત્રોચ્ચાર કરતાં રાજ્યપાલે 5 મિનિટમાં તેમનું સંબોધન ટૂંકાવી નાખ્યું હતું. રાજ્યપાલ જતા રહ્યા પછી કોંગ્રેસના ધારાસભ્યો કથિત આઈપીએસ ખંડણીકાંડ બહાર લાવનાર ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલના સન્માનમાં ઊભા થઈ ગયા હતા અને કોંગ્રેસના ધારાસભ્યોએ તેમને અભિનંદન આપ્યાં હતાં.