પાક વીમા મુદ્દે નાયબમુખ્યમંત્રી નીતિન પટેલે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી છે. પાક વીમો ફરજીયાત ના કરવા નીતિન પટેલે રજૂઆત કરી હતી. પાક વીમો મરજીયાત બનાવવા માટે કેન્દ્ર સમક્ષ માગ કરી હતી. જેને લઇને કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની પ્રતિક્રિયા સામે આવી છે.
પાકવીમા પ્રિમિયમને મરજીયાત કરવાની નીતિન પટેલની કેન્દ્રને રજૂઆત મામલે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાની પ્રતિક્રિયા આવી છે. લલિત વસોયાએ જણાવ્યું કે, નીતિન પટેલનું નિવેદન ખેડૂતોને ગુમરાહ કરવા જેવુ છે.
તેમણે કહ્યું કે હાલ ખેડૂતો પાક વીમાના પ્રીમિયમના પૈસા ભરી રહ્યા છે. જો પાક વીમો મરજિયાત થાય તો ખેડૂતોને મોટો લાભ થાય તેમ છે. પાકવીમાથી ખેડૂતોના રોષને કારણે નીતિન પટેલે નિવિદન કર્યું છે. પાક વીમો મરજિયાત થાય તો અમે સરકારના નિર્ણયને આવકારીશું.
મહત્વનું છે કે નીતિન પટેલે જણાવ્યું કે, ખેડૂતોને સરળતા માટે પાક વીમો મરજીયાત બનાવવો જોઇએ. પાક વીમો લેવા માગતા હોય તેવા ખેડૂતોને જ વીમો આપવો જોઇએ. હાલ ધીરાણ સમયે પાક વીમો જ કાપી લેવામાં આવે છે. ત્યારે દિલ્લીમાં નાણામંત્રાલયની બેઠકમાં નીતિન પટેલે આ મામલે રજૂઆત કરીને પાકવીમાને મરજીયાત કરવાની માગ કરી છે.