કોંગ્રેસના ધારાસભ્ય કિરિટ પેટેલે એવું નિવેદન આપ્યું છે, કે કોંગ્રેસ પાસે ઘણા મુદ્દાઓ હોય છે તેમ છતા ચૂંટણી વખતે કોંગ્રેસનો સફાયો થઈ જાય છે.
કોંગ્રેસના ધારાસભ્યનું ચર્ચાસ્પદ નિવેદન
ચૂંટણીમાં ભાજપ સામે થઈ જાય છે કોંગ્રેસનો સફાયો :કિરિટ પટેલ
ઘણા બધા મુદ્દાઓ હોવા છતા થાય છે કોંગ્રેસનો સફાયો :કિરિટ પટેલ
ગુજરાતમાં આગામી વર્ષે 2022માં વિધાનસભા ચૂંટણી યોજવાની છે. ચૂંટણીને લઈને દરેક પાર્ટી દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આવા સમયે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે એક ચર્ચાસ્પદ નીવેદન આપ્યું છે. જેના કારણે હાલ ધારાસભ્ય કિરીટ પટેલ ઘણા ચર્ચામાં આવ્યા છે.
કોંગ્રેસ નેતા અને કાર્યકરો હેરાન
ચૂંટણીમાં કોંગ્રેસની સ્થિતિ પર ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે દર વખતે ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસનો સફાયો થઈ જતો હોય છે. તેમનું આવું નિવેદન સાંભળીને કોંગ્રેસ નેતાઓ તેમજ કાર્યકરો હેરાન થઈ ગયા છે.
પાટણમાં હતી કારોબારી બેઠક
વધુંમાં ધારાસભ્ય કિરિટ પટેલે એવું પણ કહ્યું છે કે આ વખતે ચુટણી પહેલા એવું લાગી રહ્યું છે કે ભાજપનો સફાયો થઈ જશે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે દર વર્ષે ચૂંટણી પહેલા એવું લાગતુ હોય છે કે ભાજપનો સફાયો થઈ જશે, પરંતુ અંતમાં કોંગ્રેસનો સફાયો થઈ જાય છે. પાટણમાં કારોબારીની બેઠક હતી જે બેઠકમાં તેમણે આવા નકારાત્મક નિવેદનો આપ્યા છે.
કોંગ્રેસ પાસે મુદ્દાઓ હોવા છતા હાર : કિરીટ પટેલ
સમગ્ર મામલે તેમણે એવું પણ કહ્યું છેલ્લા ઘણા સમયથી ખેડૂતો નારાજ છે. રાંધણ ગેસના વધતા ભાવને લઈને ગૃહિણીઓ પર નારાજ છે. તેમજ સરકારની નીતીઓને કારણે વેપારીઓમાં રોષનો માહલો છે. આ મુદ્દાઓ ગણાવીને તેમણે કહ્યું કે કોંગ્રેસ પાસે ચૂંટણીને લઈને આ બધાજ મુદ્દા છે જ્યારે ભાજપ પાસે એકપણ મુદ્દો નથી. તેમ છતા કોંગ્રેસની હાર થતી હોય છે.
મંત્રીમંડળમાં ફેરફારની શક્યતા
ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં 2022ની ચૂંટણીને લઈને દરેક પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આવા સમયે રૂપાણી સરકાર તેમના મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફાર કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કારણકે આ વખતે ભાજપની સામે કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મોટો પડકાર છે.