રાજસ્થાનના સાંગોદ ક્ષેત્રના કોંગ્રેસના ધારાસભ્ય ભરતસિંહે મુખ્યમંત્રી અશોક ગેહલોતને પત્ર લખીને દારૂની દુકાનો ખોલવાની માગ કરી છે. પત્ર લખીને માંગ કરી છે કે તેઓ લૉકડાઉન દરમિયાન રાજ્યમાં દારૂની દુકાનો ફરીથી ખોલવાનો આદેશ આપે. પોતાના પત્રમાં કોંગ્રેસ ધારાસભ્યએ ચિંતા વ્યક્ત કરી છે કે દારૂની દુકાનો ખુલ્લી ન હોવાથી ગેરકાયદે દારૂનો ધંધો ચાલી રહ્યો છે.
રાજસ્થાનમાં દારૂની દુકાન ખોલવા માટે કરી અપીલ
હાથના વાયરસ આલ્કોહોલથી મરી શકે તો ગળાના કેમ નહીં?
દારૂ પીવાથી ગળાનો વાયરસ પણ સાફ થઈ જશેઃ ભરતસિંહ
ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કહ્યું કે, દારૂની દુકાન ન ખુલવાથી રાજ્યની અર્થવ્યવસ્થાની પણ કમર તૂટી ગઈ છે. જેના કારણે રાજ્યભરમાં ગેરકાયદે દેશી દારૂ બનાવાઈ રહ્યો છે.
ભરતસિંહે કહ્યું કે, આલ્કોહોલથી હાથ ધોવાથી કોવિડ 19 વાયરસ સાફ થઈ જાય છે તો દારૂ પીવાથી ગળાનો વાયરસ પણ સાફ થઈ જશે. જેથી સરકારે દારૂની દુકાન ખોલવા માટે મંજૂરી આપવી જોઈએ.
Bharat Singh Kundanpur, Congress MLA from Sangod has written to Rajasthan CM Ashok Gehlot for opening liquor shops in the state. The letter reads, "When #coronavirus can be removed by washing hands with alcohol, then drinking alcohol will surely remove virus from the throat". pic.twitter.com/ToVPomDI1Z
તેમણે કહ્યું કે લૉકડાઉનના કારણે બજારમાં દારૂની માંગ વધુ છે, એટલા માટે પીનારાઓ આનું સ્વાગત કરી રહ્યા છે. દારૂનું વેચાણ ન થવાથી સરકારને નુકસાન થઇ રહ્યું છે, ત્યારે પીનારાઓના સ્વાસ્થ્યને ખતરો ઉભો થઇ રહ્યો છે.
ધારાસભ્યએ પત્રમાં રાજ્યના બે સમાચારનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં પહેલા સમાચાર ભરતપુર જિલ્લાના હલૈના ગામના હતા, જ્યાં ગેરકાયદે દેશી દારૂ પીવાથી બે લોકોની આંખની રોશની વઇ ગઇ. ત્યારે, બીજી તરફ સરકાર દ્વારા લૉકડાઉન દરમિયાન થયેલ નુકસાનની ભરપાઈ કરવા માટે એક્સાઇઝ ડ્યૂટી વધારવાની માંગ કરી હતી.