માર્ચ મહિનામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તાલાલાથી કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પરંતુ આ મામલે સુત્રાપાડા કોર્ટે કોંગ્રેસના ધારાસભ્યને મોટી રાહત આપી હતી અને તેમના ધારાસભ્ય પદને યથાવત રાખવાનો નિર્ણય આપ્યો હતો. ત્યારબાદ વિધાનસભા અધ્યક્ષે ધારાસભ્ય પદ યથાવત્ રાખ્યુ છે. આ સાથે જ કોંગ્રેસની બેઠકોનું સંખ્યાબળ 73 પર પહોચ્યું છે.
તલાલાના ધારાસભ્ય ભગવાન બારડને રાહત
ભગવાન બારડનુ ધારાસભ્ય પદ યથાવત્ રહેશે
વિધાનસભા અધ્યક્ષે ધારાસભ્ય પદ યથાવત્ રાખ્યુ
ધારાસભ્ય પદ યથાવત રહ્યું હોવાના સમચાર મળતા જ ભગવાન બારડ ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં પત્રકારો સમક્ષ નિવેદન આપતા કહ્યું હતું કે, મને ધારાસભ્ય પદ યથાવત રાખવાનો પત્ર મળ્યો છે અને મારુ ધારાસભ્ય પદ ફરી યથાવત રાખવામાં આવ્યું છે.
ધારાસભ્ય પદ રહ્યું યથાવત
ભગવાન બારડનું ધારાસભ્ય પદ યથાવત રહેતા કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાને લઇને કોંગ્રેસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. કોંગ્રેસે જણાવ્યું કે, આ કાયદાની જીત થઇ છે અને ભાજપ પોતાના કાવતરા બંધ કરે.
જાણો શું છે સમગ્ર મામલો:
ગીર સોમનાથના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડને સૂત્રાપાડા કોર્ટે 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારી છે. ખનીજ ચોરીના કેસમાં સૂત્રાપાડા કોર્ટે ભગવાન બારડને સજા ફટકારી છે. ભગવાન બારડ પર આરોપ હતો કે 1995માં તેમણે ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરી કરી હતી.
સમગ્ર અહેવાલ પર નજર કરીએ તો, 1995માં તેમણે ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરી કરી હતી. સુત્રાપાડાની સરકારી ગોચર જમીન માંથી 2.83 કરોડની ખનીજ ચોરી કરી હતી ત્યારે આ આરોપ મામલે ધણા સમયથી સુત્રાપાડા કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો.
આજે સુત્રાપાડા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફાર્સ્ટ કોર્ટે ચુકાદો આપ્યો છે. જેમાં તાલાળાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ગૌચર જમીન માંથી ખનીજ ચોરી માટે કસુરવાર ઠેરવ્યા છે અને કોર્ટે આ ધારાસભ્યને 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારી છે. આ ઉપરાંત 2500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
તમને જણાવી દઇએ કે, વિધાનસભાની ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસ પક્ષે પોતાની બેઠક જાળવી રાખવા સ્વ.જશુભાઈ બારડના સગાભાઈ અને પૂર્વ ધારાસભ્ય ભગવાનભાઈ બારડને ટિકીટ આપી મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં ભગવાન ભાઈ બારડનો વિજય થયો હતો.
કોંગ્રેસ પક્ષે પોતાની આ બેઠક જાળવી રાખવા સ્વ.જશુભાઈ બારડના ભાઈને જ ટિકીટ આપી કોંગ્રેસનો ગઢ સાચવી રાખવાના પ્રયાસ કર્યો હતો. જ્યારે બીજી તરફ ભાજપે પણ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા ભૂતપૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારને ટિકીટ આપી હતી.