VTVના ઓપરેશન દ્રોહના રાજ્ય સરકારમાં પડઘા પડ્યા છે. VTVના ઓપરેશન દ્રોહ બાદ રાજ્ય સરકાર હરકતમાં આવ્યું છે. VTVના ઓપરેશન દ્રોહ બાદ રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે. આદિજાતિ કમિશનર રણજીતકુમારે તપાસના આદેશ કર્યા છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે VTVના ઓપરેશન દ્રોહ મામલે નિવેદન આપ્યું છે. સાથે જ VTVને ઓપરેશન દ્રોહ બદલ અભિનંદન આપ્યા હતા.
તેમણે કહ્યું કે, રાજ્યમાં મોટા પાયે આદિવાસીઓના નામે કૌભાંડ ચાલે છે. મેં અનેક વખત વિધાનસભામાં રજૂઆત કરી છે. કોલેજો આદિવાસીઓને નામે ચાલતી હોય છે. ભૂતિયા વિદ્યાર્થીઓ તરીકે એડમિશન આપવામાં આવે છે. સ્કોલરશીપ અને ફી સૌથી મોટા કૌભાંડ છે. આ કૌભાંડમાં અનેક અધિકારીઓની સીધી સંડોવણી છે.
VTVના ઓપરેશન દ્રોહ બાદ રાજ્ય સરકારે તપાસના આપ્યા આદેશ
આદિજાતિ વિભાગ સમગ્ર કૌભાંડને લઇને તપાસ કરશે. તમામ જિલ્લાઓમાં અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવશે. જિલ્લાઓના આદિજાતી વિભાગના આસિસટન્ટ કમિશનરને તપાસ સોંપવામાં આવી છે. કોલેજોમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં ચાલતા કૌભાંડને VTV એ ઉજાગર કર્યું હતું. રાજ્યની 8 એન્જિનિયરિંગ કોલેજોમાં શિષ્યવૃત્તિના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આદિવાસી વિદ્યાર્થીઓના નામે કોલેજો દ્વારા કરોડોની કમાણીનો ભાંડો ફોડ્યો હતો. જેને લઈને તંત્ર તપાસ કરવા માટે મજબૂર બન્યું છે.
મહત્વનું છે કે રાજ્યની ડિપ્લોમા કોર્સ કરાવતી કોલેજો રાજ્ય સરકારની તિજોરીને ખુલ્લે આમ લુંટી ભ્રષ્ટાચાર ચલાવી રહી હોવાના પુરાવા સામે આવ્યા છે. વીટીવીએ કરેલા સ્ટીંગ ઓપરેશનમાં રાજયની અનેક કોલેજો, એડમિશનની પ્રક્રિયા કરતુ એસીપીડીસી, જીટીયુ, સમાજ કલ્યાણ ખાતુ, બેન્ક મેનેજરો અને તેની સાથે જોડાયેલા એજન્ટો મળીને આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ ચાઉ કરી વર્ષે કરોડો રુપિયાનો કૌભાંડ આચરી રહ્યા છે. આ કૌભાંડ છેલ્લા ત્રણ વર્ષથી ખુલ્લે આમ આચરાતુ હોવા છતાં સરકારે આ કૌભાંડની તપાસ કરવાની કે કૌભાંડ સુધી પહોંચવાની ક્યારેય તસ્દી લીધી નથી ત્યારે વીટીવીએ ખુલ્લો પાડ્યો છે એજ્યુકેશન સિસ્ટમનો સ્માર્ટ કૌભાંડ.
કેવી રીતે ચાલી રહ્યું છે કોંભાડ
પહેલા સરકાર દ્વારા ડિપ્લોમામાં ઓનલાઈન એડમિશન માટે અરજીઓ મંગાવાય છે
ઓનલાઈન દરમિયાન કોલેજમાં કાયદેસર રીતે વિધ્યર્થીને એડમિશન મળે છે
ઓનલઈન એડમિશન બાદ અનેક કોલેજોમાં એન્જિનિયરિંગની સીટો ખાલી પડી રહે છે
ઓનલાઈન પ્રક્રિયા બાદ કોલેજ ઓફલાઈન સીટો ભરવા એસીપીસી પાસે મંજુરી માંગે છે
મંજુરી મળ્યા બાદ ધોરણ 10 પછી ભણવાનું છોડી દીધેલા વિદ્યાર્થીઓને એજન્ટો શોધે છે
આ વિધ્યાર્થી પાસેથી એજન્ટો થોડાક પૈસાની લાલચ આપી ડોક્યુમેન્ટ લઈ આવે છે
ડોક્યુમેન્ટ આધારે કોલેજમાં ઓફલાઈન એડમિશન આપવામાં આવે છે
એડમિશન થયા બાદ શિષ્યવૃતિના ફોર્મ ભરવામાં આવે છે
શિષ્યવૃતિ વિદ્યાર્થીઓના ખાતામાં પડે છે કે ફી શિપ કાર્ડ હોય તો કોલેજના ખાતામાં પડે
કોલેજ દ્વારા તમામ ડમી વિદ્યાર્થીઓના ખાતા ચોક્કસ બેંકમાં જ ખોલવામાં આવે છે
શિષ્યવૃતિ જમા થયા બાદ વિદ્યાર્થીની ખોટી સહી કરી કોલેજ પૈસા ઉપાડી લે છે
આ રીતે કરોડો રુપિયાનું થઇ રહ્યું છે શિષ્ટવૃતિ કોંભાડ