દેશમાં કોરોનાની 2 વેક્સિનને મંજૂરી મળ્યા બાદ રાજકારણ શરૂ થયું છે. એક તરફ જ્યાં ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે વેક્સિન લગાવવાનો ઇન્કાર કરી દીધો અને તેમણે જણાવ્યું કે, આ ભાજપની વેક્સિન છે. તેના પર ભરોસો નહીં. ત્યારે બીજી તરફ બિહારના કોંગ્રેસના ધારાસભ્ય અજીત શર્માએ પણ નવો વિવાદ છેડ્યો છે.
કોરોના વેક્સિનને લઇને રાજકારણ શરૂ થયું
કોંગ્રેસના નેતાએ કહ્યું- જનતાને ભરોસો અપાવવા માટે પ્રધાનમંત્રી પહેલા રસી લે.
દેશમાં કોરોનાની 2 વેક્સિનને મંજૂરી મળી છે
કોંગ્રેસના ધારાસભ્ય અજીત શર્માએ માંગ કરી છે કે, જે પ્રકારે વેક્સિનને લઇને જનતાનો ભરોસો જીતવા માટે રશિયા અને અમેરિકાના રાષ્ટ્રપતિએ પહેલી રસી ખુદ લગાવી હતી, તેવી જ રીતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ કોરોનાની પહેલી રસી લેવી જોઇએ જેથી જનતા વચ્ચે આને લઇને વિશ્વાસ વધે.
અજીત શર્માએ માંગ કરી છે કે, પ્રધાનમંત્રી મોદીની સાથે ભાજપના વરિષ્ઠ નેતા પણ કોરોના રસી સૌથી પહેલા લે જેથી લોકો વચ્ચે વેક્સિનને લઇને વિશ્વાસ પેદા થાય. તેમણે કહ્યું કે, નવા વર્ષમાં 2 વેક્સિન આવી છે, આ ખુશીની વાત છે પરંતુ આને લઇને લોકોમાં શંકા પણ છે. આ શંકાને દૂર કરવા માટે જે રીતે રશિયા અને અમેરિકાના રાષ્ટ્રાધ્યક્ષે પહેલી રહી સગાવીને લોકોનો વિશ્વાસ જીત્યો છે, મારૂં માનવું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના સૌથી વરિષ્ઠ નેતાને પહેલી રસી લગાવીને લોકોનો વિશ્વાસ જીતવો જોઇએ.
કોંગ્રેસને પણ મળવો જોઇએ શ્રેય
અજીત શર્માએ ભાજપ પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે દેશમાં આવેલી વેક્સિનનો શ્રેય ભાજપ લેવાનો પ્રયત્ન કરી રહી છે. અજીત શર્માએ કહ્યું કે, સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા અને ભારત બાયોટેક, જે બન્ને કંપનીઓએ કોરોનાની વેક્સિન તૈયાર કરી લીધી છે, જોકે આ બન્ને કંપનીઓ કોંગ્રેસના જમાનામાં સ્થપાય હતી.
અજીત શર્માએ કહ્યું કે, વેક્સિન આવ્યા બાદ ભાજપ ચોતરફ થાળી વગાડી રહ્યું છે અને ખુશી મનાવી રહ્યું છે, પરંતુ કોંગ્રેસને પણ શ્રેય મળવો જોઇએ કારણ કે કોંગ્રેસના જ કાર્યકાળમાં આ બન્ને કંપનીઓની સ્થાપ્ના થઇ હતી.