મોદી સરકાર ઉપર વિજય માલ્યા, મેહુલ ચોકસી અને નીરવ મોદીનું દેવુ માફ કરવાને લઇને કોંગ્રેસના આરોપ પર નાણા મંત્રી નિર્મલા સીતારમને પલટવાર કર્યો છે. સીતારમને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને જવાબ આપતાં જણાવ્યું કે આ અંગે વિચાર કરવો જોઇએ કે તેઓ સિસ્ટમને લઇને કેમ કોઇ રચનાત્મક ભૂમિકા નિભાવી શકતા નથી. તેઓ ન તો સત્તામાં રહીને અને ન વિપક્ષમાં રહીને ભ્રષ્ટાચાર અને પક્ષપાતને રોકવામાં કોઇ પ્રતિબદ્ધતા દેખાડી શકતા નથી.
નાણા મંત્રી નિર્મલા સીતારમને આગળ જણાવ્યું કે આ પહેલા 18 નવેમ્બર 2019 ના રોજ લોકસભામાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં બેંકોના રૂપિયા ઉચાપાત કરનારાઓના નામ સરકાર તરફથી આપવામાં આવ્યાં છે.
લોકસભામાં રાહુલ ગાંધીએ 304 નંબરના સવાલના જવાબમાં પણ બેંકોના પૈસાના ઉચાપાત કરનારાઓના નામ, રૂપિયા અને કયા લોકોના નામ (Write Off) માં નાખવામાં આવ્યા છે, આ અંગેની બધી જાણકારી આપવામાં આવી છે.
નાણા મંત્રી નિર્મલા સીતારમને જણાવ્યું કે મોદી સરકાર દ્વારા જ બેંકોમાંથી ઉચાપત કરનારાઓ પાસેથી વસૂલ કરવામાં આવી રહ્યાં છે. જેમાં નિરવ મોદી, મેહુલ ચોકસી અને વિજય માલ્યા પાસેતી 18332.7 કરોડ રૂપિયા વસૂલી લેવામાં આવ્યાં છે. 9967 વસૂલવા માટેની વિનંતી, 3315 એફઆઇઆર ફગટેવ એમેંડેટ એક્ટ હેઠળ દાખલ છે.
નાણા મંત્રીએ કહ્યું કે કોંગ્રેસે બેંકોના નાણાં ઉચાપત કરનાર, બેડ લોન અને બટ્ટા ખાતા (Write off) નામે છેતરવાનો પ્રયાસ કર્યો છે. વર્ષ 2009-10 અને 2013-14 ની વચ્ચે કોંગ્રેસની સરકાર હતી તો બેંકોએ 145226 કરોડ રૂપિયા બેડ એકાઉન્ટમાં નંખાયા હતા. આશા છે કે રાહુલ ગાંધીએ ડો. મનમોહન સિંહે બટ્ટા ખાતા (Write off) શું હોય તેના અંગે જરૂર સમજયું હશે.
નાણા મંત્રીએ કહ્યું કે નીરવ મોદી મામલે 2387 કરોડ રૂપિયાની ચલ-અચલ સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી છે અને હાલ તે યુકેની જેલમાં છે. મેહુલ ચોકસીના કેસમાં 1936.95 કરોડ રૂપિયા ચલ-અચલ સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી છે. તેના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવ્યું છે. એંટીગુઆથી તેના પ્રત્યાપર્ણને લઇને અરજી આપી દેવામાં આવી છે.
તેને ભાગેડુ જાહેર કરવાને લઇને કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. વિજય માલ્યાની 8040 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી છે. આ સાતે 1693 કરોડ રૂપિયાના શેર પણ સીલ કરી દેવામાં આવ્યાં છે. વિજય માલ્યાને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે. તેના પ્રત્યાપ્રણને લઇને પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.