દિલ્હી સરકારના સ્વાસ્થ્યમંત્રી રહી ચૂકેલા કોંગ્રેસના નેતા અશોક કુમાર વાલિયાએ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહાર વાજપાઇને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું કે તેઓ અદભૂત ક્ષમતાના સ્વામી હતા.
આવા લોકો ભાગ્યે જ જન્મ લેતા હોય છે. એક રાજનીતિક પાર્ટીના હિસ્સા હોવા છતાં દળથી ઉપર રહીને સર્વ શ્રેષ્ઠ સ્તરની રાજનીતિ કેવી રીતે કરવી તે દિવંગત અટલ બિહારી વાજપાઇ પાસેથી શીખી શકાય.
આજરોજ અટલ બિહારી વાજપાઇ માટે પોતાની લાગણી વ્યક્ત કરતા વાલિયાએ જણાવ્યું કે વિપક્ષી દળના નેતા હોવા છતાં દિલ્હી સરકાર ચલાવવામાં તેમની કોઇ યોજના આગળ વધારીને તેમની સરકારને કોઇપણ પ્રકારની મુશ્કેલી નથી આવવા દીધી.
ઉલ્લેખનીય છે કે પોતાના બાળપણ સાથે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈનો ઉલ્લેખ કરતા અશોક કુમાર વાલિયાએ જણાવ્યું કે જ્યારે તેમની ઉંમર દશ-બાર વર્ષ હશે. તેઓ અટલ બિહારી વાજપાઇનું ભાષણ સાંભળવા માટે જતા હતા. અટલ વાજપાઈનું ભાષણ સ્થળ કોંગ્રેસના આ નેતાના ઘરથી 11 કિલોમીટર દરિયાગંજમાં આવેલ રામલીલા મેદાન હતું તેમ છતાં તેઓ ચાલતા અટલજીનું ભાષણ સાંભળવા જતાં હતા.
આ અટલ બિહારી વાજપાઇના ભાષણ શૈલીની અસર હતી કે સામાન્ય જનતા પણ તેમને સાંભળવા માટે દોડી આવતી. તેમની વાણીમાં જોશ હતું ગજબની રાજનૈતિક સમજ પણી હતી અને કોઇપણ વિષય પર તેમની પક્કડ હતી. આ કારણે જ લોકો તેમનું ભાષણ સાંભળવા મંત્રમુગ્ધ થઇ જતાં હતા.