નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે સરદાર ટાઉન હોલમાં નર્મદા જિલ્લાની કોંગ્રેસ વિસ્તૃત કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા વિધાન સભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહીત કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં ગામેગામ જઈને યુવાનોને કોંગ્રેસમાં જોડી સક્રિય કાર્યકરને જનમિત્ર બનાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું.
વિપક્ષ નેતા પરેશ ધાનાણી એ ખાસ કરીને મોદી સરકારને લોકોને બતાવેલા વાયદા બાદ ફરી ગયાની વાત કરી જો ભાજપા સરકાર અને મોદી દિવસમાં 10 જુઠાણું ના બોલે તો એમને રાત્રે ઉંઘ ના આવે કહી આકરા પ્રહાર કર્યા હતા.જ્યારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કર્ણાટક મુદ્દે જણાવ્યું હતું કે આજે સંવિધાનની રક્ષા કરનાર રાજ્યપાલ સંવિધાનનું ચીર હરણ કરી ભાજપ એજન્ટ બન્યા છે.
ઉલ્લેખનીય છે કે આ કારોબારી બેઠકમાં નર્મદા જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો તથા પક્ષના ઉચ્ચ હોદ્દેદારો ખાસ હાજર રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને વિરોધ પક્ષનાના પરેશ ધાનાણીની ખાસ ઉપસ્થિતીમાં યોજાયેલ આ કારોબારી બેઠકમાં 2019ની ચૂંટણીને લઇને પણ કેટલીક ચર્ચા કરવમાં આવી હતી.