ચૂંટણીઓમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જતા હારની જવાબદારી પક્ષ વિરોધી કાર્યકર્તાઓ પર ઠાલવી મોડે મોડે કોંગ્રેસે હારની સમીક્ષા બેઠક કોંગ્રેસે બેઠકોને દોર શરૂ કર્યો છે
ગુજરાત કોંગ્રેસની શિસ્ત સમિતિની બેઠક મળી
શિસ્ત સમિતિમાં ફરિયાદ કરનારને સાંભળવામાં આવ્યા
તમામને સાંભળ્યા બાદ શિસ્ત સમિતિ આપશે રિપોર્ટ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જતા હારની જવાબદારી પક્ષ વિરોધી કાર્યકર્તાઓ પર ઠાલવી મોડે મોડે કોંગ્રેસે ચૂંટણીની હારની સમીક્ષા બેઠક કોંગ્રેસે બેઠકોને દોર શરૂ કર્યો છે. અગાઉ 30 મેના રોજ હારની સમીક્ષા માટે ગુજરાત કોંગ્રેસની શિસ્ત સમિતિની બેઠક મળી હતી.
હોદ્દા પરત લેવાથી લઈ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસને 79 જેટલી ફરિયાદો મળી હતી જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ 10 લોકો સામે ફરિયાદ યોગ્ય લાગતા તેમની સામે હોદ્દા પરત લેવાથી લઈ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. હવે સામે ફરિયાદ થઈ છે તેવા લોકોને શિસ્ત સમિતિએ સાંભળવાનું શરૂ કર્યું છે જો તે લોકો દોષી પૂરવાર થશે તો સમિતિ દંડાત્મક પગલાં લઈ શકે છે. મહત્વનું છે કે બે દિવસમાં તમામ ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે.
નેતાઓની પક્ષમાંથી હકાલપટ્ટી પણ કરી શકે
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી, 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ હવે તેના જ નેતાઓ પર કાર્યવાહી કરવા જઈ રહી છે. ગુજરાત કોંગ્રેસ ચૂંટણીઓમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર કાર્યકર્તાઓ પર પગલાં લઈ શકે છે. સુત્રો અનુસાર કોંગ્રેસ તેના 20 થી વધુ નેતાઓની પક્ષમાંથી હકાલપટ્ટી કરી શકે છે.
પક્ષ વિરોધી કાર્યકરના લોકો સામે આકરા નિર્ણય
કોંગ્રેસ શિસ્ત સમિતિના નિશાન પર હાલ પૂર્વ સાંસદથી લઈ પૂર્વ ધારાસભ્ય અને પક્ષના અધિકારીઓ પણ કોંગ્રેસની શિસ્ત સમિતિના નિશાન પર છે તો હવે આગામી સમયમાં કોંગ્રેસ પક્ષ વિરોધી કાર્યકરના લોકો સામે આકરા નિર્ણય લઈ શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.