બ્રેકિંગ ન્યુઝ
Hiren
Last Updated: 07:55 AM, 10 February 2020
ADVERTISEMENT
કેટીએસ તુલસીએ ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં જણાવ્યું કે એવું લાગે છે કે કોંગ્રેસે ભાજપને હરાવવા માટે કુર્બાની આપી દીધી છે અને મતોનું વિભાજન થવા દીધું નહીં. જો કોંગ્રેસ પણ ચૂંટણી પૂરી તાકાતથી લડ્યું હોત તો તેનો ફાયદો ભાજપને થયો હોત.
ADVERTISEMENT
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ગરીબ અને મુસ્લિમ સમુદાય દિલ્હીમાં કોંગ્રેસનું મતબેંક માનવામાં આવે છે,પરંતુ જો કે હાલમાં આ મતબેંક આપ ના ખાતામાં ચાલ્યા યા છે. જો કોંગ્રેસે ચૂંટણી પ્રચાર દરમિયાન એડીચોટીનું જોર લગાવ્યું હોત તો કદાચ આ મત બેંક આપ અને કોંગ્રેસ વચ્ચે બે ભાગમાં વહેંચાય ગયા હોત, જેનો સીધી ફાયદો ભાજપને થયો હોત.
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પણ એક્ઝિટ પોલમાં આપની જીતને વિકાસની જીત ગણાવી છે. ચૌધરીએ કહ્યું કે જો કેજરીવાલ જીતે છે તો આ વિકાસ એજન્ડાની જીત હશે. જોકે અધીર રંજન ચૌધરીએ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવાયું નથી તે વાતનો ઇન્કાર કરતાં કહ્યું કે પાર્ટીએ મજબૂત રીતે ચૂંટણી પ્રચાર કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.