લોકસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસની અંદર ખેંચતાણ ચાલુ છે. આ દરમિયાન પાર્ટીની કર્ણાટક પ્રદેશ સમિતિને ભંગ કર્યાના એક દિવસ બાદ પાર્ટી સૂત્રોએ ગુરુવારે બતાવ્યું કે કેટલાક વધુ પ્રદેશોની સમિતિઓમાં બદલાવ કરી શકાય તેમ છે. લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન બાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાર્ટીના વરિષ્ઠ સૂત્રો અનુસાર, આવનાર દિવસોમાં વધુ કાર્યવાહી કરવામાં આવી શકે છે.
એમણે સંકેત આપ્યા છે કે, ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનને લઇને બિહાર અને ઉત્તર પ્રદેશની પાર્ટી સમિતિઓેને પણ ભંગ કરવામાં આવી શકે છે. આપને જણાવીએ કે, બિહાર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ મદન મોહન જ્ઞા અને પ્રદેશ પ્રભારી શક્તિ સિંહ ગોહિલે પહેલા જ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને પોતાનું રાજીનામું મોકલી ચૂક્યા છે.
ઉત્તરપ્રદેશના કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજ બબ્બરે પણ લોકસભા ચૂંટણી હાર્યા બાદ પોતાનું રાજીનામું પ્રદેશ અધ્યક્ષને મોકલ્યું છે. કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં 542 બેઠકોમાંથી માત્ર 52 બેઠકો પર જીત નોંધાવી હતી. પાર્ટીને બિહાર અને ઉત્તર પ્રદેશમાં એક-એક બેઠક મળી હતી. જ્યારે બંને પ્રદેશોમાં ક્રમશ: 40 અને 80 સભ્યો લોકસભા માટે ચૂંટવામાં આવે છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પોતાની માતા અને યૂપીએના ચેરપર્સન સોનિયા ગાંધી સાથે 13 જુનને પોતાના રાયબરેલી પ્રવાસ દરમિયાન આ અંગે સંકેત આપ્યો હતો. પ્રિયંકા ગાંધી મુજબ, ચૂંટણીમાં સમર્પણ ભાવથી કામ નહીં કરનાર પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે. પ્રદેશમાં સોનિયા ગાંધી પોતાના સંસદીય ક્ષેત્ર રાયબરેલીથી ચૂંટણી જીતમાં સફળ રહી. પરંતુ રાહુલ ગાંધી અમેઠીમાં ચૂંટણી હાર્યા હતા.
આપને જણાવીએ કે, કોંગ્રેસે કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીને ભંગ કરી નાંખી છે. જોકે, પ્રદેશ પ્રમુખ દિનેશ ગુંડુ રાવ અને કાર્યકારી અધ્યક્ષ ઇશ્વર બી. ખાંદ્રેને યથાવત રાખ્યા છે. સૂત્રો બતાવી રહ્યા છે કે, કેરળ, પંજાબ, તમિલનાડુમાં અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવશે, કેમકે ત્યાં પાર્ટીનું પ્રદર્શન વધુ સારું રહ્યું છે.