ભારતના પૂર્વ પ્રધાનમંત્રી તથા કોંગ્રેસના દિગ્ગજ નેતા મનમોહન સિંહ રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટણી લડી શકે છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ મદનલાલ સૈનીના નિધન બાદ રાજસ્થાનમાં એક રાજ્યસભા બેઠક ખાલી પડી છે.
મદનલાલ સૈનીના નિધન બાદ બેઠક ખાલી પડી
ઉલ્લેખનીય છે કે, 75 વર્ષીય મદનલાલ સૈનીનું ગત 24 જૂનના રોજ દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દેહાવસાન થયું હતું. સૈનીને રાજ્યસભામાં સભ્ય બન્યાને 6 મહિના થયા હતા. આ સમયગાળામાં 5 વર્ષથી વધારે સમય તેમની આ ખાલી બેઠક માટે પડ્યો છે.
તમિલનાડુથી રાજ્યસભામાં મોકલવાની હતી તૈયારી પરંતુ...
માનવામાં આવી રહ્યું છે કે, હાઇકમાન્ડ આ બેઠક પરથી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કરી ચૂકી છે. આપને જણાવી દઇએ કે, મદનલાલ સૈનીનું નિધન થયાં બાદ કોંગ્રેસમાં મનમોહન સિંહને રાજ્યસભામાં મોકલવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ પહેલા મનમોહન સિંહને તમિલનાડુથી રાજ્યસભામાં મોકલવાની તૈયારી કોંગ્રેસે હાથ ધરી હતી. પરંતુ દ્રવિડ મુદ્રક કડગમ( DMK ) એ આ વાતને સમર્થન આપ્યું નહોંતું.
કોંગ્રેસ પાસે માત્ર એક બેઠક જીતવાની તક
આપને જણાવી દઇએ કે, રાજસ્થાનથી રાજ્યસભા બેઠક કોંગ્રેસ મનમોહન સિંહ માટે સુરક્ષિત માની રહી છે. કારણ કે, કોંગ્રેસની પાસે ભારતીય જનતા પાર્ટી (BJP) કરતા વધારે ધારાસભ્યો છે. કોંગ્રેસ પાસે રાજસ્થાનમાં હાલ 100 ધારાસભ્યો છે તથા 11 નિર્દળીય ધારાસભ્યો છે, જે કોંગ્રેસના સમર્થન છે. જ્યારે ભાજપની પાસે 72 ધારાસભ્યો છે. આવામાં 200 સભ્યોવાળી રાજસ્થાન વિધાનસભામાં કોંગ્રેસની પાસે રાજ્યસભાની માત્ર એક જ બેઠક પર જીતવાની તક છે.