રાજસ્થાનની રાજધાની જયપુરમાં પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ નેતા મનમોહન સિંહે ઇશારામાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું. એમણે કહ્યું કે આપણે સંસદ અને તેની પ્રણાલી પર વિશ્વાસ કરવો પડશે અને આશા રાખવામાં આવે છે કે ભારતની બંધારણીય સંસ્થાઓ સ્વતંત્ર રૂપે કાર્ય કરે.
એમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ, ચૂંટણી પંચ અને સીબીઆઇ પાસે દબાણમાં આવ્યા વિના કામ કરવાની અપેક્ષા કરવામાં આવે છે. પૂર્વ પીએમે કહ્યું કે સંઘીય ઢાંચામાં સુપ્રીમ કોર્ટ, ચૂંટણી પંચ, ભારતના નિયંત્રક અને ઓડિટર જનરલ, સીબીઆઇ અને સતર્કતા આયોગ જેવી અન્ય સંસ્થાોને બંધારણ મુજબ સ્વતંત્ર રૂપે કાર્ય કરવું જોઇએ.
મનમોહન સિંહે જયપુરના જે કે લક્ષ્મીપત વિશ્વવિદ્યાલયમાં કહ્યું કે, 'લોકતંત્રને મજબૂત કરવા માટે આપણે સિદ્ધાંતવાદી. જાણકાર અને દૂરદર્શી નેતાઓની આવશ્યકતા છે. સાથે જ બંધારણમાં ગર્ભિત મૂલ્યોની સુરક્ષા માટે રાજનીતિની પાર્ટીઓની પ્રતિબદ્ધતાની પણ આવશ્યકતા છે.' એમણે કહ્યું, 'આપણી નિરંતર એકતા માટે, સરકારે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને પર્યાવરણ પ્રદાન કરવી જોઇએ.'
પૂર્વ પીએમ મનમોહન સિંહે કહ્યું કે, 'આપણે સંસદ અને તેની પ્રક્રિયાઓ, સરકાર અને રાષ્ટ્રપતિઓના નિયમોની સર્વોચ્ચતાનું સન્માન કરવું પડશે. સરકાર દ્વારા સમય-સમય પર ગઠિત વિભિન્ન્ આયોગ, સુપ્રીમ કોર્ટ, ભારતનું ચૂંટણી પંચ, ભારતના નિયંત્રક અને ઓડિટર જનરલ, સીબીઆઇ, સૂચના આયોગ અને સતર્કતા આયોગ જેવી સંઘીય સંસ્થાઓ પાસે સ્વતંત્ર રૂપે કામ કરવાની આશા રાખવામાં આવે છે. આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે તે એવું કરે.'