લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રચાર પ્રસારનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આજે પોતાના ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો.
લોકસભા ચૂંટણીમાં વિજય હાંસલ કરવા માટે કોંગ્રેસ પાર્ટી આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો રજૂ કર્યો હતો. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાર્ટી કાર્યાલયમાં ચૂંટણી ઢંઢેરો રજૂ કર્યો અને પોતાનાં એજન્ડાને દેશની સામે મૂકશે. કોંગ્રેસ પહેલેથી જ ન્યાય યોજના, સ્ટાર્ટ અપ અને 22 લાખ ભરતીઓની વાત કરી રહી છે અને આજે તેનાં પર ખુલીને તેઓ વાત કરી હતી. બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આજે ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે.
કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર
કોંગ્રેસ શું આપ્યા વચનો?
રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી માટે ચૂંટણી ઢંઢોરો જાહેર કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો દેશના લોકોનો અવાજ, એક વર્ષ પહેલા ચૂંટણી ઢંઢેરાની તૈયારી શરૂ કરી હતી. અમારો મેનીફેસ્ટો બંધ બારણે નહીં. અમે આ ઢંઢેરો પ્રજાના હિતને ધ્યાને રાખીને તૈયાર કર્યો છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે ઉદ્યોગપતિઓ બેંકના પૈસા લઇ ભાગે છે, દેશના ખેડૂત ઇમાનદાર છે. અમે ખેડૂતો માટે 2 સૌથી મહત્વની વાત વિચારી છે. જેમાં ખેડૂતો માટે અલગથી બજેટ લાવીશું અને ખેડૂતો દેવું નાચૂકવી શકે તો તે અપરાધ નહીં ગણાય. મનરેગા હેઠળ 150 દિવસ કામ આપીશું.
ચૂંટણી ઢંઢેરામાં મહત્વના મુદ્દા
- લોકોને ન્યાય યોજના હેઠળ સીધા બેંક ખાતામાં રકમ મળશે
- રોજગારનો ચૂંટણી ઢંઢેરામાં પણ સમાવેશ
- કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં કોઇ લોભામણી જાહેરાતો નથી
- ખેડૂતો માટે અલગથી સુરક્ષિત બજેટ હશે
- કુલ ઘરેલું ઉત્પાદનનો 6% શિક્ષણ પર ખર્ચ કરશે
- માર્ચ 2020 સુધીમાં 22 લાખ ખાલી સરકારી જગ્યાઓ ભરાશે
- 3 વર્ષ સુધીમાં તમામ યુવાઓને બિઝનેસ કરવા કોઇ મંજૂરી નહીં લેવી પડે
- મનરેગા હેઠળ 150 દિવસ કામ આપીશું
- ખેડૂતો દેવું નાચૂકવી શકે તો તે અપરાધ નહીં ગણાય
- 10 લાખ યુવાનોને ગ્રામ પંચાયતમાં રોજગાર
- હેલ્થ સિસ્ટમ મજબૂત કરીશું
- દર વર્ષે ગરીબોને 72000 રૂપિયા આપીશું
આ દરમિયાન પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે કહ્યું કે, 24 રાજ્યો, 60 શહેરોના લોકો સાથે વાત કરવામાં આવી છે. કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરાને જન આવાજ નામ આપ્યું છે. અમારો મુખ્ય મુદ્દો રોજગારી છે. મોદી સરકારમાં 4.70 કરોડ નોકરીઓ ગુમ થઇ છે. યૂપીએ સરકારનો 10 વર્ષનો કાર્યકાળ સુવર્ણકાળ હતો.
- કોંગ્રેસ પોતાના ચૂંટણી ઢંઢેરાની થીમ 'હમ નિભાયેંગે' રાખી
- કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરાને 'જનઅવાજ'નું નામ આપ્યું
- અમે પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને આ ચૂંટણી ઢંઢેરો તૈયાર કર્યો છે
- જ્યારે અમે ન્યાય સ્કીમની વાત કરીએ છીએ ત્યારે લોકોને વિશ્વાસ થાય છે
- કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને પૂર્વ પીએમ મનમોહનસિંહે 2019 લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને જાહેર કર્યો.
- રાહુલ ગાંધીના મૅનિફેસ્ટો રિલીઝ થતા પહેલાં પી.ચિદમ્બરમે આ ચૂંટણી ઢંઢેરાની થીમ બતાવી હતી. તેમણે કહ્યું હતું કે આ ચૂંટણી ઢંઢેરાની થીમ વેલ્થ ઍન્ડ વેલફેર છે.