મનપાની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા શપથપત્ર જાહેર, ફરીથી ઘરનું ઘર આપવાનો કોંગ્રેસે વાયદો કર્યો છે.
મનપાની ચૂંટણીને લઈ કોંગ્રેસનો શપથપત્ર
ઘરનું ઘર આપવાનો કોંગ્રેસે કર્યો વાયદો
મનપામાં ખાલી જગ્યાઓ ભરવાનું વચન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરાને શપથપત્ર તરીકે જાહેર કર્યો છે. મનપા અને નપા માટે અલગ અલગ શપથપત્ર જાહેર કરાયા છે. જિલ્લા અને તાલુકા પંચાયત માટે અલગ શપથપત્ર છે. જેમાં લોકોને અલગ અલગ વાયદાઓ કરાયા છે. મકાન માલિક અને ભાડુઆતનો એક જ ટેક્સ કરાશે. ફરીથી ઘરનું ઘર આપવાનો કોંગ્રેસે વાયદો કર્યો છે. મનપામાં ભાજપનું શાસન છતાં પ્રાથમિક સુવિધા ન હોવાના આક્ષેપ પણ કરાયા છે.
મનપામાં ખાલી જગ્યાઓ ભરવાના વચન સાથે યુવાનોને રોજગારીનું સપનું પણ દેખાડાયું છે. શહેરીજનો માટે કોંગ્રેસ ગુજરાઈટ કાર્ડ આપશે. જેમાં મુસાફરી, આરોગ્ય સહિતની સેવા માટે ગુજરાઈટ કાર્ડની સુવિધા પ્રાપ્ત થશે.