મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલની વચ્ચે ક્ષણે ક્ષણે ઘટનાક્રમો બદલાઈ રહ્યા છે. આ બાજૂ કોંગ્રેસે પોતાનો ધડો સુરક્ષિત રીતે બચાવી રાખ્યો છે, જ્યાં ધારાસભ્યદળની બેઠકમાં મોટા ભાગના MLA હાજર હોવાની વાત કહેવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રમાં ક્ષણે ક્ષણે બદલાઈ રહ્યા છે સમીકરણો
કોંગ્રેસ માટે રાહતના સમાચાર આવ્યા
મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષે કહી આ વાત
મહારાષ્ટ્રમા ઉદ્ધવ ઠાકરેની સરકારને લઈને સસ્પેન્સ સતત વધી રહ્યું છે. ઝડપથી બદલાઈ રહેલા ઘટનાક્રમની વચ્ચે એવી વિગતો આવી છે કે, સાંજે 5 વાગ્યા બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજીનામુ આપી શકે છે. આ અગાઉ શિવસેના નેતા સંજય રાઉતે રાજ્યમાં ચાલી રહેલી રાજકીય સ્થિતિની વચ્ચે મહારાષ્ટ્ર વિધાનસભા ભંગ કરવાના પણ સંકેત આપ્યા હતા.
Congress Legislative Party meeting has begun. Cabinet ministers are going for a meeting. All our 44 MLAs are with us: Minister and party leader Balasaheb Thorat#MaharashtraPoliticalCrisispic.twitter.com/9MqTyYWIIX
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય કાવાદાવાની વચ્ચે કોંગ્રેસ માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે. એક બાજૂ શિવસેનાના ધારાસભ્યો બળવો કરીને સૂરત પહોંચ્યા બાદ હવે ગુવાહટીમાં રોકાયા છે. બીજી બાજૂ કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને સાચવી રાખ્યા છે. આજે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક થઈ હતી, જેમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ બાલાસાહબ થોરાટે દાવો કર્યો હતો કે, કોંગ્રેસના તમામ 44 ધારાસભ્યો અમારી સાથે છે. અમુક જગ્યાએ ખોટા સમાચાર ફેલાવામાં આવી રહ્યા છે, હું વિનંતી કરવા માગુ છું કે, આવા ખોટા સમાચાર ફેલાવા નહીં.
#WATCH | Mumbai: A meeting of Congress party was held at the residence of minister and party leader Balasaheb Thorat today, amid the ongoing political crisis in the state. pic.twitter.com/qx6eyYnid0
એકનાથ શિંદેએ પોતાની સાથે 40 ધારાસભ્યો હોવાનો કર્યો દાવો
ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી ગઠબંધન સરકાર વિરુદ્ધ બળવો કરીને પોતાના અવાજ બુલંદ કરનારા શિવસેનાના મંત્રી એકનાથ શિંદે ગુવાહટી પહોંચ્યા બાદ દાવો કર્યો છે કે, તેમની સાથે શિવસેનાના 40 ધારાસભ્યો છે. પણ આ અગાઉ સૂરતની હોટલમાંથી ધારાસભ્યોનો જે ગ્રુપ ફોટો અને વીડિયો સામે આવ્યો છે, તેમાં તો કુલ 35 ધારાસભ્યો જ દેખાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં વિધાન પરિષદ ચૂંટણીમાં પુરતા નંબર ન હોવાના છતાં 5 સીટો પર ભાજપની જીત બાદ તુરંત એકનાથ શિંદેની આગેવાનીમાં તમામ ધારાસભ્યો સુરતની એક ફાઈવ સ્ટાર હોટલમાં પહોંચી ગયા હતા. શિવસેનાએ તેમની સાથે સંપર્ક ન હોવાનો દાવો કર્યો હગતો. ત્યાર બાદ રાજકીય ઉથલપાથલ શરૂ થઈ હતી.