અમદાવાદમાં કોંગ્રેસના નેતાનો પારિવારીક વિખવાદ સામે આવ્યો છે. કોંગ્રેસ નેતાની બે પત્નીઓના બંને પુત્રો યુથ કોંગ્રેસની ચૂંટણીના મેદાનામાં ઉતાર્યા જેના કારણે આ વિવાદ સર્જાયો છે.
કોંગ્રેસ નેતાની 2 પત્નીની 2 સંતાનો આમને સામને
રાજકીય વારસા માટે સર્જાયો પારિવારીક વિવાદ
સિનિયર નેતાઓ સમગ્ર મામલે મધ્યસ્થી બન્યા
અમદાવાદમાં કોંગ્રેસના નેતાનો પરિવારિક વિવાદ સામે આવ્યો છે. પારિવારિક વિવાદને લઈને કોંગ્રેસના નેતા ઘણા ચર્ચાનું કારણ બન્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસ નેતાની 2 પત્ની અને 2 સંતાનો વચ્ચે સત્તાની લડાઈ થઈ છે. બંને પત્નીની સંતાનો યૂથ કોંગ્રેસના ચૂંટણીના મેદાનમાં ઉતરી જેના કારણે આ વિવાદ સર્જાયો છે.
રાજકીય વારસા માટે લડાઈ
રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમા યુથ કોંગ્રેસ પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જોકે કોંગ્રેસના નેતાના બંને પુત્રો રાજકીય વારસા માટે આમને સામને આવી ગયા છે. માત્ર તે સંતાનોજ નહી પરંતુ તેમની માતાઓ પણ આમને સામને આવી ગઈ છે.
સિનિયર નેતા બન્યા મધ્યસ્થી
કોંગ્રેસના નેતાની બંને સંતાનો મહામંત્રી પદ માટે આમને સામને આવી ગઈ હતી. જેના કારણે આ વિવાદ ઘણો મોટો થયો હતો. જોકે કોંગ્રેસના સિનિયર નેતાઓએ મધ્યસ્થી રહીને આ સમગ્ર મામલો ઠંડો પાડ્યો હોવાની માહિતી સામે આવી છે.
પહેલી પત્નીના દિકરાએ ફોર્મ રદ કર્યુ
અગાઉ આ મામલે બંને સંતાનોની પ્રોપર્ટી મામલે પણ લડાઈ થઈ હતી. જોકે આ વખતે કોંગ્રેસ નેતાની બીજી પત્નીના દીકરાએ ફોર્મ ભર્યું જેના કારણે આ વિવાદ સર્જાયો. જોકે સનિયિર નેતાઓએ પહેલી પત્નીના દીકરાને સમજાવીને તેની પાસેથી ફોર્મ રદ કરાવ્યું ત્યારે આ મામલે થાળે પડ્યો
કોંગ્રેસમાં અંદરોઅંદર વિખવાદ વધ્યો
ઉલ્લેખનીય છે રાજ્યમાં અત્યારથી ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી આ વખતે ઘણી સક્રિય છે. પરંતુ કોંગ્રેસમા આ વખતે અંદરો અંદર વિખવાદો અને વિવાદો વધી રહ્યા છે. જેની સીધી અસર ચૂંટણીની તૈયારીઓ પર પડી રહી છે.