કોંગ્રેસે પીએમ પર આરોપ લગાવ્યો છે કે પીએમ 'ભારત જોડો' યાત્રાથી ધ્યાન હટાવવા માટે ચિત્તા પ્રોજેક્ટને લાવ્યા હતા.
સાત દાયકા પછી ફરીથી આપણા દેશમાં આવ્યા ચિત્તા
પીએમ મોદી દ્વારા ચિત્તાને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડવામાં આવ્યા
ચિત્તા પ્રોજેક્ટ પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે કર્યો કટાક્ષ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓને છોડ્યા હતા. આના પર કોંગ્રેસે પીએમ પર આરોપ લગાવ્યો છે કે પીએમ 'ભારત જોડો' યાત્રાથી ધ્યાન હટાવવા માટે આ તમામ તમાશો કરી રહ્યા છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે એક ટ્વિટમાં કહ્યું કે, ચીતા પ્રોજેક્ટમાં તેમના પ્રયાસોનો પીએમ દ્વારા ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. તેઓ ક્યારેય શાસનમાં સાતત્યતાનો સ્વીકાર કરતા નથી.
पीएम शासन में निरंतरता को शायद ही कभी स्वीकार करते हैं। चीता प्रोजेक्ट के लिए 25.04.2010 को केपटाउन की मेरी यात्रा का ज़िक्र तक न होना इसका ताज़ा उदाहरण है। आज पीएम ने बेवजह का तमाशा खड़ा किया। ये राष्ट्रीय मुद्दों को दबाने और #BharatJodoYatra से ध्यान भटकाने का प्रयास है। 1/2 pic.twitter.com/V0Io8OMYyD
જયરામે ટ્વિટમાં આ વિશે કટાક્ષ કર્યો
જયરામે ટ્વિટમાં લખ્યું, "વડા પ્રધાન ભાગ્યે જ શાસનમાં સાતત્યનો સ્વીકાર કરે છે. આનું તાજું ઉદાહરણ ચીતા પ્રોજેક્ટ માટે 25-04-2010ના રોજ કેપટાઉનની મારી મુલાકાતનો ઉલ્લેખ સુદ્ધાં કરતું નથી. આજે પીએમે બિનજરૂરી તમાશો સર્જ્યો હતો. આ રાષ્ટ્રીય મુદ્દાઓને દબાવવાનો અને 'ભારત જોડો યાત્રા' પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. "2009-11 દરમિયાન, જ્યારે વાઘને પ્રથમ વખત પન્ના અને સારિસ્કામાં ખસેડવામાં આવ્યા હતા, ત્યારે ઘણા લોકો આશંકાઓ વ્યક્ત કરી રહ્યા હતા. ચીતા પ્રોજેક્ટ પર પણ આવી જ આગાહીઓ કરવામાં આવી રહી છે. તેમાં સામેલ પ્રોફેશનલ્સ ઘણા સારા છે. હું તમને આ પ્રોજેક્ટ માટે શુભેચ્છા પાઠવું છું!
પવન ખેરાએ પણ કટાક્ષ કર્યો
આ સમગ્ર ઘટના પર કોંગ્રેસ નેતા પવન ખેરાએ પણ કટાક્ષ કર્યો છે. તેમણે જયરામ રમેશના ટ્વીટને પોતાના ટ્વિટર હેન્ડલ પર રિટ્વીટ કરતા લખ્યું કે, તેમનો સિંહ હાલ દેશને જોડવા માટે નીકળી ગયો છે, તેથી દેશને તોડનારા લોકો વિદેશથી ચિત્તા લાવી રહ્યા છે. તેમણે લખ્યું, "આપણો સિંહ 'ભારત જોડો યાત્રા' પર નીકળ્યો હોવાથી, જે લોકો ભારતને તોડે છે તેઓ હવે વિદેશથી ચિત્તા લાવી રહ્યા છે.
લુપ્ત થયાના સાત દાયકા પછી ભારતમાં ચિત્તા આવ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે એક વિશેષ ઘેરામાં નામિબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓને મુક્ત કર્યા હતા. આ પ્રસંગે મોદી પોતાના પ્રોફેશનલ કેમેરાથી ચિત્તાની કેટલીક તસવીરો પણ ખેંચતા જોવા મળ્યા હતા.
A long wait is over, the Cheetahs have a home in India at the Kuno National Park. pic.twitter.com/8FqZAOi62F
નામિબિયાના આઠ ચિત્તા ભારતમાં લુપ્ત જાહેર થયાના સાત દાયકા પછી દેશમાં ચિત્તાને ફરીથી વસાવવાના પ્રોજેક્ટના ભાગરૂપે શનિવારે સવારે કુનો નેશનલ પાર્ક ખાતે પહોંચ્યા હતા. તેમને પહેલા એક વિશેષ વિમાન દ્વારા ગ્વાલિયર એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ હેલિકોપ્ટર દ્વારા શીઓપુર જિલ્લાના કેએનપીમાં લાવવામાં આવ્યા હતા.
કોંગ્રેસે 'ચીતા પ્રોજેક્ટ'ની ટ્વીટ કરી
"ચીતા પ્રોજેક્ટ' માટેની દરખાસ્ત 2008-09માં તૈયાર કરવામાં આવી હતી. મનમોહન સિંહની સરકાર સત્તામાં હતી ત્યારે આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. આ પછી તત્કાલીન વન અને પર્યાવરણ મંત્રી જયરામ રમેશ તે સમયે આફ્રિકાના ચિત્તા આઉટરીચ સેન્ટર ગયા હતા. 2013 માં સુપ્રીમ કોર્ટે આ પ્રોજેક્ટ પર સ્ટે મૂક્યો હતો. જો કે 2020માં આ પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે, જે બાદ ચીતા પ્રોજેક્ટને લાગૂ કરી શકાય છે.