નાગરિકતા સંશોધન એક્ટ વિરૂદ્ધ દેશના કેટલાક ભાગોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી રવિવારે દિલ્હી રેલીમાં પ્રદર્શનકારીઓને અફવામાં ન આવવાની અપીલ કરી અને કહ્યું કે, NRC જેવી કોઇ વસ્તુ નથી. આ વચ્ચે આજે કોંગ્રેસ પાર્ટી સરકારના આ કાયદા વિરૂદ્ધ હોબાળો કરશે. સોનિયા, રાહુલ અને પ્રિયંકા સહિત કોંગ્રેસ હાઇ કમાન્ડ આજે રાજઘાટ પર સત્યાગ્રહ કરી રહ્યું છે. આ સિવાય દેશના કેટલાક ભાગોમાં આ કાયદાના વિરોધમાં પ્રદર્શન ચાલી રહ્યા છે.
નાગરિકતા સંશોધન એક્ટ વિરૂદ્ધ પ્રદર્શન
દિલ્હીના રાજઘાટ પર આજે કોંગ્રેસનો સત્યાગ્રહ
રાજઘાટ પર કોંગ્રેસના નેતાએ કર્યા ધરણા
કોંગ્રેસનો આ સત્યાગ્રહ બપોરે 3 વાગ્યાથી શરૂ થઇને રાત્રે 8 વાગ્યા સુધી ચાલશે. આ પહેલા ચેન્નઇમાં નાગરિકા કાયદા વિરૂદ્ધ DMK અને સહયોગી દળોની મેગા રેલી પણ થઇ. ત્યારે બીજી તરફ ઉત્તરપ્રદેશમાં આજે સાવચેતીનાં પગલાં રૂપે શાળા અને કોલેજ બંધ રાખવામાં આવ્યા છે.
સત્યાગ્રહ માટે રાજઘાટ પર પૂર્વ પીએમ મનમોહનસિંહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, અશોક ગેહલોત, એકે એન્ટની, વરિષ્ઠ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, અહેમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગેસહિતના વરિષ્ઠ નેતા હાજર રહ્યા છે.
Delhi: Congress leaders Priyanka Gandhi Vadra, Ghulam Nabi Azad, Kamal Nath, Ahmed Patel and Anand Sharma at Raj Ghat to protest against #CitizenshipAmendmentAct and National Register of Citizens. pic.twitter.com/IHUhXqzkkD
રાજઘાટ પર સોનિયા ગાંધીએ બંધારણની પ્રસ્તાવનાને વાંચી. ત્યાર બાદ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ બંધારણ પ્રસ્તાવનાને વાંચી.