ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ રાહુલ ગાંધીની મોદી સરનેમ ટિપ્પણીને લઈને તેમના પર ઓબીસીના અપમાનનો આરોપ લગાવ્યો તો ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ આના પર પલટવાર કર્યો.
નડ્ડાના OBCના અપમાનવાળા નિવેદન પર ભડક્યા કોંગ્રેસ નેતાઓ
જગદીશ ઠાકોર અને અમિત ચાવડાએ કર્યો પલટવાર
કહ્યું- ખોટી રીતે કોંગ્રેસને દબાવવામાં આવે છે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વર્ષ 2019માં 'મોદી અટક'ને લઈને કરવામાં આવેલી ટિપ્પણી મામલે ગુરુવારે સુરતની સેશન્સ કોર્ટે તેમને 2 વર્ષની સજા સંભળાવી છે. આ મામલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ ટ્વિટ કરીને કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અને રાહુલ ગાંધીના નિવેદનને OBC સમાજનું અપમાન ગણાવ્યું હતું. જે.પી નડ્ડાના નિવદનને લઇ ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ રોષે ભરાયા છે
...એટલે જાતિવાદનું પત્તુ ઉતારેઃ અમિત ચાવડા
vtvgujarati.com સાથેની વાતચીતમાં કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે સરકાર ભીસમા આવે છે, એટલે જાતિવાદનું પત્તુ ઉતારે છે. પ્રજા હવે બધુ સમજે જ છે. vtvgujarati.com સાથેની વાતચીતમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે, પાર્લામેન્ટમાં ભાજપના મિત્રો બેફામ વાણી વિલાસ કરે તો કાંઈ નહીં પરંતુ રાહુલ ગાંધી નાનું મોટું નિવેદન આપે તો તેને ઉંધી રીતે લેવામાં આવે છે, સોનિયા ગાંધી વિશે જેમ ફાવે એમ બોલે તો સમગ્ર મહિલાનું અપમાન છે એ પણ જોવું જોઈએ. ખોટી રીતે કોંગ્રેસને દબાવવામાં આવે છે, ડરાવવામાં આવે છે અને ભાજપ તેના નજીકના મિત્રોને બચાવી રહી છે.
ભાજપ લોકોનાં અવાજ દબાવવાનું કરે છે કામઃ ચાવડા
કોગેસ નેતા અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, અંગ્રેજોની નીતિ હતી કે તમામને ગુલામ બનાવવાના, કોઈપણ વિરોધ કે આંદોલન કરે તો પોલીસનાં જોડે કચડી નાખવાના. એવી જ રીતે આ નવા અંગ્રેજો કરી રહ્યા છે. વિરોધ કરે તો લોકોનાં અવાજ દબાવવાના કામ કરે છે. ગાંધીજીની અધ્યક્ષતામાં આંદોલન થયા અને દેશ આઝાદ થયો. રાહુલ ગાંધી એક માત્ર નેતૃત્વ છે જે અવાજ ઉઠાવે છે. ખેડૂતનાં પ્રશ્નો હોય કે અન્ય બાબત હોય રાહુલ ગાંધી જેવા નેતા જ અવાજ ઉઠાવે છે. તેમના અદાણી જેવા મિત્રો સામે બોલે તો તેને બોલવા નથી દેતા. અલગ-અલગ રાજ્યોમાં કેસ કરી દબાવવા અને અવાજ બંધ કરાવવા માટે આ નીતિ અપનવી રહ્યા છે. આઝાદ ભારતમાં સંવિધાન ખતમ થઈ રહ્યું છે.
ભીસમાં આવે છે ત્યારે જ્ઞાતિવાદને વચ્ચે લઈ આવેઃ જગદીશ ઠાકોર
તો આ મુદ્દે vtvgujarati.comને જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, જ્યારે સરકાર ભીસમાં આવે છે ત્યારે જ્ઞાતિવાદને-જાતિવાદને પોશે છે વિદેશ પ્રવાસ કરે છે, જ્યારે પોતે ભીસમા આવે છે ત્યારે જ્ઞાતિવાદને વચ્ચે લઈ આવે છે અને પોતાની ચામડી બચાવી રહ્યા છે અને ખોટી રીતે કોંગ્રેસને બદનામ કરવાનો એક મોકો પણ છોડતા નથી આ મુદ્દામાં જ્ઞાતિવાદને વચ્ચે લઈ આવો ઉચિત નથી.
જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર કર્યો હતો પ્રહાર
આપને જણાવી દઈએ કે, સુરતની કોર્ટ દ્વારા માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને સજા ફટકારવામાં આવ્યા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વિટ કરી રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું હતું કે "રાહુલ ગાંધીનો અહંકાર ઘણો મોટો છે અને સમજણ ખૂબ નાની છે. રાજકીય ફાયદા માટે રાહુલ ગાંધીએ OBC સમાજનું અપમાન કર્યું."
રાહુલ ગાંધીનો અહંકાર ઘણો મોટો છેઃ જે.પી નડ્ડા
જેપી નડ્ડાએ ટ્વિટ કરી રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા કહ્યું હતું કે "રાહુલ ગાંધીનો અહંકાર ઘણો મોટો છે અને સમજણ ખૂબ નાની છે. પોતાના રાજકીય ફાયદા માટે રાહુલ ગાંધીએ સમગ્ર OBC સમાજનું અપમાન કરતાં તેમને ચોર કહ્યા હતા. સમાજ અને કોર્ટ દ્વારા વારંવાર સમજાવવા અને માફી માંગવાના આપવામાં આવેલા વિકલ્પની પણ એમને વારંવાર અવગણના કરી અને OBC સમુદાયની લાગણીઓને સતત ઠેસ પહોંચાડી."
कल सूरत कोर्ट ने राहुल को OBC समाज के प्रति उनके आपत्तिजनक बयान के लिए सजा सुनाई है।परंतु राहुल व कांग्रेस पार्टी अभी भी अपने अहंकार के चलते लगातार अपने बयान पर अड़े व निरंतर OBC समाज की भावनाओं को आहत कर रहे हैं। पूरा OBC समाज प्रजातांत्रिक ढंग से राहुल से इस अपमान का बदला लेगा।
ટ્વિટ કરીને રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન
આ બાદ એમને બીજા ટ્વીટમાં લખ્યું હતું કે"...ફિર ચોકીદાર ચોર હૈનો નારો લગાવ્યો હતો જેના પર મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોએ પણ વાંધો ઉઠાવ્યો હતો. સાથે જ આ નારા પર જનતા જનાર્દનની અદાલતે 2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને સખત ઠપકો આપ્યો હતો અને કોંગ્રેસે ખરાબ હારનો સામનો કરવો પડ્યો."
राहुल गांधी का अहंकार बहुत बड़ा और समझ बहुत छोटी है। अपने राजनीतिक लाभ के लिए उन्होंने पूरे OBC समाज का अपमान किया। उन्हें चोर कहा। समाज और कोर्ट के द्वारा बार-बार समझाने और माफ़ी माँगने के विकल्प को भी उन्होंने नज़रअंदाज़ किया और लगातार OBC समाज की भावना को ठेस पहुँचाई।
નડ્ડાએ રાફેલનો ઉલ્લેખ કરતાં ટ્વિટ કરીને કહ્યું હતું કે, "કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને તથ્ય છોડીને મનમાં આવે એવા આરોપ લગાવવાની આદત છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા રાહુલે રાફેલના નામે દેશને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો હતો અને એ માટે સુપ્રીમ કોર્ટે ઠપકો આપ્યો હતો અને રાહુલ ગાંધીએ જાતે બનાવેલ આરોપ માટે બિનશરતી માફી માંગવી પડી હતી."
कांग्रेस के नेता राहुल गांधी को तथ्यों से परे और मनगढ़ंत आरोप लगाने की आदत है। 2019 लोकसभा चुनाव के पहले राहुल ने राफ़ेल के नाम पर देश को भ्रमित करने की कोशिश की। जिसको लेकर माननीय सुप्रीम कोर्ट ने फटकार लगाई और राहुल गांधी को मनगढ़ंत आरोप के लिए बिना शर्त माफ़ी माँगनी पड़ी थी।