દિલ્હી નગર નીગમની ચૂંટણી પહેલાજ કોંગ્રેસના અમુક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. જેના કારણે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.
કોંગ્રેસ નેતાઓ AAPમાં જોડાયા
દિલ્હી નગર નીગમની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટ ફટકો
ચૂંટણીને લઈને કોંગ્રેસ હવે અલગ રણનીતી બનાવશે
દિલ્હીમાં આવતા વર્ષે નગર નિગમની ચૂંટણી થવાની છે. પરંતુ આ ચૂંટણીને લઈને કોંગ્રેસ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. કારણકે કોંગ્રેસના ઘણા નેતા ચૂંટણી પહેલાજ આમ આદમી પાર્ટીમાં શામેલ થઈ ગયા છે. ચૂંટણી મુદ્દે રાહુલ ગાંધી બેઠક પણ કરવાના હતા પરંતુ તે બેઠક પહેલાજ કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.
પરિસ્થિતીને લઈ તાબડતોડ બેઠક બોલાવી
પરિસ્થિતીને અનુલક્ષીને રાહુલગાંધીએ તાબડતોડ સાંજે 4 વાગે બેઠક રાખી છે. જેમા દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અનિલ ચૌધરી અને પાંચ ઉપાધ્યક્ષોને સાથે આ બેઠક કરવામાં આવશે. આ બેઠકમાં ચૂંટણીને લઈને હવે મોટા નિર્ણયો લેવામાં આવશે. સાથેજ ચૂંટણીની અલગથી રણનીતિ પણ ઘડવામાં આવશે.
કોંગ્રેસને મોટો ફટકો
દિલ્હી કોંગ્રેસ કમિટી આગામી નગર નિગમની ચૂંટણીને લઈને તૈયારીમાં લાગી ગઈ છે. જેને લઈને દિલ્હી કોંગ્રેસ મુખ્યલયમાં મિટીંગ પણ કરવામાં આવી હતી. પરંતુ અચાનકથી કોગ્રેસ નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.
AAPના પ્રવક્તાએ પાર્ટીમાં આપ્યું સ્થાન
ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રાઘવ ચડ્ડાએ કોંગ્રેસ નેતાઓ પાર્ટીમાં સ્થાન આપતા કહ્યું કે મુખ્યમંત્રી અરવીંદ કેજરીવાલના કામથી પ્રેરીત થઈને કોગ્રેસ નેતાઓ અમારી પાર્ટીમાં જોડાયા છે. કોંગ્રેસના વિકાસ શર્મા અને મેહર યાદવ તેમના સમર્થકો સાથે AAPમાં જોડાયા છે. બંને નેતાઓએ લાંબા સમય સુધી કોંગ્રેસની સેવા કરી હતી.