કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વધુ એક વિવાદમાં આવ્યા છે. ઉત્તર અને દક્ષિણના રાજ્યોની સરખામણી કરતાં નિવેદન પર ભાજપ તો સવાલ ઉઠાવી જ રહ્યું છે જોકે હવે કોંગ્રેસની અંદર જ કોંગ્રેસમાં બે ફાંટા પડી ગયા હોય તેવી પરિસ્થિતિ છે.
રાહુલ ગાંધીના નિવેદન બાદ વિવાદ
ભાજપ જ નહીં કોંગ્રેસમાં પણ બે ફાડ
એક બીજા પર ટિપ્પણીઓ કરવા લાગ્યા કોંગ્રેસ નેતાઑ
શું કહ્યું સિબ્બલે?
કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે બુધવારે કહ્યું કે કોંગ્રેસ હંમેશા મતદાતાઓ અને તેમની આઝાદીનું સન્માન કરે છે અને આગળ પણ કરતી જ રહેશે. જોકે તેમણે રાહુલ ગાંધીના નિવેદન પર નામ લઈને કઈં પણ કહેવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું કે મને આ નિવેદન વિશે કઈં ખબર નથી. જોકે તેમણે ઇશારામાં કહ્યું કે એક કોંગ્રેસી હોવાના નાતે હું એટલું કહીશ કે હું આ દેશના દરેક મતદાતાનું સન્માન કરું છું, પછી એ ભલે ગમે તે ક્ષેત્રના હોય.
સિબ્બલને પ્રવચન ન આપવા સલાહ
જોકે આ નિવેદન બાદ યૂથ કોંગ્રેસ અધ્યક્ષ બીવી શ્રીનિવાસે સિબ્બલ પર જ સવાલ ઊભા કરી દીધા. નાગવાર ગુજરાએ કહ્યું કે હું સન્માન સાથે કહું છું કે જે સાઈડલાઇન છે તે લેકચર આપવાનું બંધ કરે, કોંગ્રેસ પાર્ટીને જે ગ્રાઉન્ડ પર છે તેમની જરૂર છે. 24 કલાક પ્રવચન આપતા લોકોની જરૂર નથી.
રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યા નેતાઓ
કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા આંનદ શર્માએ કહ્યું કે રાહુલ ગાંધીનું આ નિવેદન કોઈ અનુભવના આધારે આવ્યું છે, મને તેમાં કોઈ ક્ષેત્રના અપમાનની વાત નથી દેખાઈ રહી. રાહુલ ગાંધી તેના પર સ્પષ્ટીકરણ આપી શકે છે. કોંગ્રેસ નેતા કમલનાથે કહ્યું કે રાહુલ ગાંધીએ કશું ખોટું નથી કહ્યું. કેરળ સહિતના દક્ષિણના રાજ્યના લોકો સમજુ છે, એમપીના લોકો પણ સમજદાર છે. તેમના નિવેદનને તોડીમરોડીને બતાવવામાં આવ્યું છે.
શું કહ્યું હતું રાહુલ ગાંધીએ
નોંધનીય છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તીરુંવનંતપુરમમાં કહ્યું હતું કે હું 15 વર્ષ સુધી ઉત્તર ભારતમાં સાંસદ રહ્યો છું. મને ત્યાં એક અલગ પ્રકારના રાજકારણનો સામનો કરવો પડતો હતો. કેરળ આવવું મારા માટે તાજગી ભર્યું છે કારણ કે અહિયાંના લોકો મુદ્દા પર રાજકારણ કરે છે અને મુદ્દાના મૂળ સુધી જાય છે.
નોંધનીય છે કે રાહુલ ગાંધી પોતાના આવા નિવેદનોના કારણે છેલ્લા ઘણા દિવસથી વિવાદોમાં રહે છે. આ પહેલા પૂર્વોત્તરના એક રાજ્યમાં રાહુલ ગાંધીના એક નિવેદન બાદ ગુજરાતના નેતાઑએ સવાલ ઉઠાવ્યા હતા અને તેને ગુજરાતનું અપમાન ગણાવ્યું હતું. હવે દક્ષિણ અને ઉત્તરના રાજ્યોની સરખામણી મામલે સતત ભાજપ નેતાઑ રાહુલ ગાંધી પર પ્રહાર કરી રહ્યા છે.