નવી દિલ્હી: રવિવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની મહત્વની બેઠકમાં ભારતની ગ્રેન્ડ ઓલ્ડ પાર્ટીએ 2019ની ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કોંગ્રેસે લોકસભાની 300 સીટો પર જીતની રણનીતિ બનાવી છે. આ બેઠકમાં એનડીએ વિરુદ્ધ રાજકીય ગઠબંધનની વાત કરવામાં આવી પરંતુ નેતાઓએ શરત મૂકી કે એનું નેતૃત્વ રાહુલ ગાંધીને અને એના કેન્દ્રમાં કોંગ્રેસ હોવી જોઇએ.
સૂત્રો પ્રમાણે પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદંબરમે 2019ની ચૂંટણી રણનીતિ માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો. ચિદંબરમે કહ્યું કે 12 રાજ્યોમાં કોંગ્રેસ મજબૂત છે અને પાર્ટી એમની ક્ષમતામાં 3 ગણો વધારો કરે તો 150 સીટો જીતી શકાય છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં ગઠબંધનની મદદથી કોંગ્રેસ 150થી વધારે સીટો જીતી શકે છે. એક તરફ પી ચિદંબરમે 300 સીટો પર જીતની ફોર્મ્યુલા આપવાનો પ્રયત્ન કર્યો.
કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં 2019 માટે રણનીતિક ગઠબંધન બનાવવા પર ચર્ચા થઇ. બેઠકમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પણ હાજર રહ્યા. એમને પીએમ મોદીની સતત આત્મ પ્રશંસા અને ક્રાંતિકારી રાજકીય સંસ્કૃતિને ફગાવી છે.
CWCની બેઠકમાં સામેલ થયેલ યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ મોજી સરકાર પર પ્રહાર કરતી જોવા મળી સોનિયા ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભાષણ શૈલીથી એમની નિરાશા વ્યક્ત થાય છે જે એ વાત સૂચવે છે કે મોદી સરકારની કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે.
CWCની બેઠકને સંબોધિત કરતાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ પર ગરીબો અને દલિતો પર અત્યાચાર કરવાનો આરોપ લગાવ્યો અને પાર્ટી કાર્યકર્તાઓથી દેષના ગરીબો માટે લડવાનો આગ્રહ કર્યો. રાહુલ ગાંધી નવી કોંગ્રેસ કાર્યકારિણી સમિતિની પહેલી બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ થોડાક દિવસો અગાઉ 51 સભ્યની કાર્ય સમિતિનું ગઠન કર્યું હતું. જેમાં 23 સભ્યો 18 સ્થાઇ આમંત્રિત સભ્યો અને 10 વિશેષ સભ્યો સામેલ કરવામાં આવ્યા હતા.