કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોરોના વાયરસ રોગચાળાના વિષય પર વિવિધ રાજ્યોના પત્રકારો સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી રહ્યા છે. આ સમયે VTV ન્યૂઝના એડીટર ઇસુદાન ગઢવીએ પણ તેમને સવાલ કર્યો હતો. રાહુલ ગાંધીએ તેમની સાથે પણ ચર્ચા કરી હતી. રાહુલ ગાંધીએ આર્થિક પેકેજને લઈને સરકાર પર પલટવાર કર્યો હતો અને સાથે એમ પણ કહ્યું કે દેશના દિલને જોઇને પ્રધાનમંત્રી નિર્ણય લે તે વધારે જરૂરી છે.
કોરોના સંકટ વચ્ચે રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ
આર્થિક પેકજ મામલે રાહુલ ગાંધીનો સરકાર પર પલટવાર
દેશના દિલને જોઇને પ્રધાનમંત્રી નિર્ણય લેઃ રાહુલ ગાંધી
Today our poor people need money, I am requesting Prime Minister Narendra Modi that he should reconsider this package. He should consider direct bank transfer, MGNREGA for 200 days & money to farmers directly, as these people are our future: Rahul Gandhi, Congress pic.twitter.com/hvTu5NDAdM
આર્થિક પેકજ મામલે રાહુલ ગાંધીનો સરકાર પર પલટવાર, કહ્યું પેકેજ નહીં મજૂરોને સીધા પૈસા આપો, મજૂરોને હાલ પૈસાની જરૂર છે. પ્રધાનમંત્રી મોદીએ દેશના દિલને જોઈને નિર્ણય લેવાની જરૂર છે. કોરોના સંકટ પર રાહુલ ગાંધીએ નિવેદન આપતાં કહ્યું કે આજે દેશ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે, વિદેશોને જોઇને પ્રધાનમંત્રી નિર્ણય ન કરે. દેશના દિલને જોઇને પ્રધાનમંત્રી નિર્ણય લે તે ખાસ જરૂરી છે. સરકારે સાહુકારનું કામ ન કરતાં દેશહિત જોવું જરૂરી છે. આજે દેશ અને દેશના લોકો સંકટમાં છે. શ્રમિકો ચાલીને ઘરે જઈ રહ્યા છે. આ સમયે લોકડાઉનને ધ્યાનમાં રાખવાની જરૂર છે.
રાહુલે કહ્યું કે તમે કોરોના વાયરસથી સંબંધિત સ્થિતિને જાણો છો અને સરકારે થોડા દિવસો પહેલા કેટલાક પગલા લીધા હતા. સરકારના પેકેજ પર સવાલ ઉઠાવતા રાહુલે કહ્યું કે જ્યારે બાળકને ઈજા થાય છે, ત્યારે માતા તેને લોન નથી આપતી પરંતુ તેની સાથે ઊભી રહે છે. ભારત માતાએ તેમના બાળકો માટે પૈસાદારનું કામ ન કરવું જોઈએ. જે પરપ્રાંતિયો માર્ગ પર છે તેને પૈસાની જરૂર હોય છે, દેવાની નહીં. ખેડૂતને દેવાની નહીં પણ પૈસાની જરૂર હોય છે.
સરકારે આ રીતે પ્લાનિંગ કરવું જોઈએઃ રાહુલ ગાંધી
રાહુલે કહ્યું કે મારા અનુસાર સરકારે ત્રણ ટર્મ શોટ, મિડ અને લોંગ ટર્મમાં કામ કરવું જોઈએ. ટૂંકા ગાળામાં માંગમાં વધારો. આ હેઠળ તમે ભારતના નાના અને મધ્યમ વેપારીઓને બચાવો. તેમને રોજગાર આપો. કૃપા કરીને તેમની આર્થિક મદદ કરો. સ્વાસ્થ્ય મુજબ તમારે જેનું જોખમ સૌથી વધુ હોય છે તેમની સંભાળ લેવી જોઈએ. તે જ સમયે મધ્યમ ગાળામાં નાના અને મધ્યમ વ્યવસાયમાં સહાય કરો. હિન્દુસ્તાનને આ લોકો પાસેથી 40 ટકા રોજગાર મળે છે, તેથી તેમને આર્થિક મદદ પણ કરવી જોઈએ. માત્ર બિહાર જેવા રાજ્યોમાં રોજગારી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરો.