વિધાનસભા ચૂંટણીમાં ટિકિટોને લઇને કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, જે શહેરોમાં કોંગ્રેસ હારે છે ત્યાં યુવા નેતાની પસંદગી કરાશે
જે શહેરોમાં કોંગ્રેસ હારે છે ત્યાં યુવા નેતાની પસંદગી કરાશે: રાઠવા
કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટોને લઈને કોગ્રેસના નેતા સુખરામ રાઠવાએ મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, જે શહેરોમાં કોંગ્રેસ હારે છે. તે શહેરોમાં યુવા નેતાઓની પસંગી કરવામાં આવશે.
કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં શરૂ કરવામાં આવી છે.ત્યારે છોટાઉદેપુરના કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ નિવેદન આપ્યું હતું કે, આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ યુવા નેતાઓને ટિકિટ આપશે. તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધી રાજકોટ, વડોદરા, અમદાવાદ, પોરબંદર, સુરેન્દ્રનગર અને સુરતમાં હારતાં આવ્યાં છે. જેથી આ વખતે જે શહેરોમાં કોંગ્રેસ હારે છે ત્યાં યુવા નેતાની પસંદગી કરાશે. આ વખતે કોંગ્રેસના મોટા નેતાઓની બાદબાકી થઇ શકે છે.
રાઠવાના નિવેદનને યુથ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ વિશ્વનાથ વાઘેલાએ આવકાર્યું
છોટાઉદેપુર કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ આપેલા નિવેદનને યુથ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ વિશ્વનાખ વાઘેલાએ આવકાર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં યુવાનો પરિણામ લાવશે.