ઈડી દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પૂછપરછ માટેનો આજે બીજો દિવસ છે, જ્યાં દિલ્હીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ આ કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે. પોલીસ કાર્યકર્તાઓ પર એક્શન લઈ રહી છે.
ઈડી દ્વારા આજે પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પુછપરછ
કોંગ્રેસ કાર્યકર્તાઓ અને નેતાઓ કરી રહ્યા છે વિરોધ
પોલીસે કાર્યકર્તાઓ અને નેતાઓની કરી અટકાયત
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને કથિત મની લોન્ડ્રીંગ કેસમાં ઈડીએ પુછપરછ માટે બોલાવ્યા છે. ઈડીની આ કાર્યવાહી કોંગ્રેસી નેતાઓને પચી નથી અને તેમણે સોમવારે દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યા હાત. કોંગ્રેસના કેટલાય વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓએ માર્ચ નિકાળી હતી. એટલુ જ નહીં ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ નેતાઓએ મોર્ચો પણ ખોલ્યો હતો. પોલીસે પણ કોંગ્રેસ નેતાઓે તગેડી રહી છે.
History tells us nobody ever ran away, tail tucked between legs, when police cracked down on satyagrahis. They faced lathis, bullets and like Veer Savarkar, even jail and kala pani.
cc: @srinivasiyc close aide of National Herald scam accused @RahulGandhipic.twitter.com/vgu3oKrpqb
સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમાં જોવા મળ્યું છે કે, દિલ્હીમાં યુવા કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસ બીવી પોલીસને હાથતાળી આપીને ભાગી રહ્યા છે. હકીકતમાં જોઈએ તો, શ્રીનિવાસને પોલીસે અટકાયત કરી તો તેઓ પોલીસે અધિકારીઓને હાથતાળી આપીને ભાગી ગયા હતા. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, કેવી રીતે શ્રીનિવાસ બીવીને ગાડીમાં બેસાડવા માટે પોલીસ લઈ જાય છે અને તેના માટે ગાડી રોકે છે, પણ તેઓ નીચે ઉતરતા જ છટકીને ભાગી જાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, દિલ્હી પોલીસે સોમવારે '24 અકબર રોડ' (કોંગ્રેસ હેડક્વાર્ટર) તરફ જતા ઘણા રસ્તાઓ પર બેરિકેડ લગાવી દીધા અને વિસ્તારમાં કલમ 144 લાગુ કરી. કૂચ શરૂ થયાના થોડા સમય બાદ પોલીસે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને અટકાવ્યા હતા અને તેમને કસ્ટડીમાં લીધા હતા. જણાવી દઈએ કે તપાસ એજન્સીએ આ જ મામલામાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને 23 જૂને સમન્સ પાઠવ્યા છે. અગાઉ તેમને 8મી જૂને હાજર થવા નોટિસ આપવામાં આવી હતી. જો કે, કોંગ્રેસ અધ્યક્ષે હાજર થવા માટે વધુ સમય માંગ્યો હતો, કારણ કે તેઓ કોરોના વાયરસથી સંક્રમિત છે અને હજુ સુધી સ્વસ્થ થયા નથી.